VIDEO: વિધાનસભા સત્રમાં અશાંત ધારા સુધારા વિધેયક બહુમતી સાથે પસાર

|

Jul 08, 2019 | 1:12 PM

વિધાનસભા સત્રમાં અશાંત ધારા સુધારા વિધેયકને બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક રજૂ કર્યુ હતું. જેને બહુમતિ સાથે પસાર કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અશાંતધારાનું વિધેયક રજૂ કરતી વખતે જણાવ્યું કે, નવા કાયદામાં અશાંત વિસ્તાર જાહેર કરવાની પદ્ધતિ વધુ પારદર્શક અને વિસ્તૃત કરવા સરકારે પગલુ ભર્યુ છે. જે […]

VIDEO: વિધાનસભા સત્રમાં અશાંત ધારા સુધારા વિધેયક બહુમતી સાથે પસાર

Follow us on

વિધાનસભા સત્રમાં અશાંત ધારા સુધારા વિધેયકને બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક રજૂ કર્યુ હતું. જેને બહુમતિ સાથે પસાર કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અશાંતધારાનું વિધેયક રજૂ કરતી વખતે જણાવ્યું કે, નવા કાયદામાં અશાંત વિસ્તાર જાહેર કરવાની પદ્ધતિ વધુ પારદર્શક અને વિસ્તૃત કરવા સરકારે પગલુ ભર્યુ છે. જે માટે નવી એડવાયઝરી મોનિટરીંગ કમિટીની રચના, વધુ સચોટ અને પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉપરાંત અગાઉ કલેક્ટરના નિર્ણય સામે અપીલ કરવાની કોઈ જોગવાઈ ન હતી. તેને પણ હવે દાખલ કરવામાં આવી છે. કેમ કે અગાઉ ઘણી મલિન ઈરાદાવાળી વ્યક્તિઓએ કાયદાની છટકબારીનો દુરુપયોગ કરી હોવાની સરકારને ફરિયાદ મળી હતી ત્યારે હવે અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યના જે વિસ્તારોમાં અશાંત ધારાનો અમલ થઈ રહ્યો છે તેની આસપાસના અડધા કિલોમીટર વિસ્તારમાં પણ હવેથી મિલકતના ખરીદ વેચાણ કે ભાડુઆતને ખાલી કરાવવા સામે રોક લગાવતો સુધારો કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધેયકનો વિરોધ કરતા જણાવ્યું કે, 1991માં સરકારે અશાંત ધારાનો કાયદો બનાવ્યો. ત્યારે કેટલી સમય મર્યાદા પૂરતો આ કાયદો લાગુ હશે તે નક્કી કરાયું હતું. જો કે સ્થિતિને જોતા તે માત્ર હંગામી ધોરણે જ લાગુ કરાયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો. સાથે જ કહ્યું કે, અન્ય કોઈ રાજ્યમાં અશાંત ધારા જેવા કોઈ કાયદા નથી. માત્ર દેશમાં કાશ્મીરમાં જ મિલકત લે-વેચને લગતા કાયદા છે. ઉપરાંત અશાંત ધારા એ સિવિલ કાયદો હોવા છતાં તેમાં સજા અને દંડની પણ જોગવાઈ છે. જેને લઈ સરકાર ભયનું વાતાવરણ ઉભુ કરવા માગતી હોવાનો આરોપ લગાવ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article