નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહનચાલકો પાસેથી તોતિંગ દંડ વસૂલવામાં આવે છે. લોકો કહી રહ્યા છે કે પહેલા રસ્તાની હાલત સુધારો ત્યારબાદ આ મસમોટા દંડની વસૂલાત કરો. નવા મોટર વ્હીકલ એક્ટનો લોકો વિરૂદ્ધ કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે.જાડેજાએ પણ ટ્વિટ કરીને રસ્તાઓની પોલ ખોલી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેમને ટ્વિટ કરતા લખ્યું કે “બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં” “ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે?” “શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જવાબદારી નથી?”
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો