વાપીમાં મુસ્લિમ બિરાદરોએ પુલવામા હુમલાને લઈને નોંધાવ્યો ઉગ્ર વિરોધ, જાહેરમાં સળગાવ્યા પાકિસ્તાનના ઝંડા

‘પાકિસ્તાનને ઘરમાં ઘુસીને મારો’ એવા નારા સાથે વાપીના મુસ્લિમ બિરાદરો રસ્તાં પર ઉતર્યાં હતાં. પુલવાની ઘટનાને લઈને વાપી શહેરના ચોકમાં પાકિસ્તાનના ઝંડા સળગાવ્યા હતાં. પુલવામા થયેલા આતંકવાદી હુમલાને લઈને ચોમેરથી પાકિસ્તાન સામે ફિટકાર વરસી રહ્યો છે,ત્યારે વાપીના ઝંડા ચોક ખાતે આજે સ્થાનિક મુસ્લિમ બિરાદરના લોકોએ એકત્રિત થઇને પાકિસ્તાન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાનના ઝંડા […]

વાપીમાં મુસ્લિમ બિરાદરોએ પુલવામા હુમલાને લઈને નોંધાવ્યો ઉગ્ર વિરોધ, જાહેરમાં સળગાવ્યા પાકિસ્તાનના ઝંડા
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:42 AM

‘પાકિસ્તાનને ઘરમાં ઘુસીને મારો’ એવા નારા સાથે વાપીના મુસ્લિમ બિરાદરો રસ્તાં પર ઉતર્યાં હતાં. પુલવાની ઘટનાને લઈને વાપી શહેરના ચોકમાં પાકિસ્તાનના ઝંડા સળગાવ્યા હતાં.

પુલવામા થયેલા આતંકવાદી હુમલાને લઈને ચોમેરથી પાકિસ્તાન સામે ફિટકાર વરસી રહ્યો છે,ત્યારે વાપીના ઝંડા ચોક ખાતે આજે સ્થાનિક મુસ્લિમ બિરાદરના લોકોએ એકત્રિત થઇને પાકિસ્તાન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો.

પાકિસ્તાનના ઝંડા સાથે આતંકવાદીનું પુતળું દહન કરીને પાકિસ્તાન મુર્દાબાદની નારેબાજી કરી હતી. આતંકવાદ સામે સખત પગલા લેવા સરકાર પાસે માંગ કરી હતી અને હુમલામાં શહીદ થયેલા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આતંકવાદીઓને પાકિસ્તાનમાં ઘુસીને મારવાની માંગ કરી હતી.

TV9 Gujarati

 

પાકિસ્તાનની આ આતંકવાદી કરતુત પર લોકોનો ગુસ્સો ફાટી નિકળ્યો હતો અને લોકો રસ્તાં પર ઉતરી આવ્યા છે.  પોતાના દેશના શહીદોના ન્યાય માટે લોકો હવે સરકાર પાસે માગણી કરી રહ્યા છે.

[yop_poll id=1458]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:06 pm, Fri, 15 February 19