વલસાડ(Valsad) માં ઉમરગામ નજીકના દરિયામાં કંચન નામનું જહાજ ફસાયું હતું. જેમાં ખરાબ હવામાનના લીધે જહાજનો વીજ પુરવઠો ખોરવાયો ગયો હતો. તેમજ વીજ પુરવઠો ખોરવાઈ જતા જહાજ બંધ પડયું હતું. જેના પગલે જહાનના કેપ્ટને કોસ્ટ ગાર્ડ(Coast Guard) ની મદદ માંગી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ મહારાષ્ટ્ર કોસ્ટગાર્ડે 12 ક્રૂ મેમ્બરનું સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ વીજ પુરવઠો ખોરવાઇ જતાં બંધ પડેલા જહાજને ટોઇંગ કરી મુંબઈ શિપયાર્ડ લઈ જવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : IND vs SL: વન ડે ક્રિકેટ ડેબ્યૂ મેચમાં ભૂવનેશ્વર કુમારે કર્યો હતો ગજબ કમાલ, પ્રથમ બોલે જ ઝડપી હતી વિકેટ
આ પણ વાંચો : Bhakti : જો જો પછતાવું ન પડે ! સત્યનારાયણની કથાના આયોજન પહેલાં જાણી લો આ ખાસ વાત
Published On - 4:44 pm, Thu, 22 July 21