Valsad : કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાને કોરોના છતાં શાળા ચાલું રખાઇ, શાળા તંત્રની ગંભીર બેદરકારી

|

Sep 21, 2021 | 6:02 PM

વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા શાળામાં 6 થી 8 ના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે શિક્ષિકાને કોરોનાના લક્ષણો હોવા છતાં શાળા ચાલુ હતી. ત્યારે શાળાની આ ગંભીર લાપરવાહી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Valsad : કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાને કોરોના છતાં શાળા ચાલું રખાઇ, શાળા તંત્રની ગંભીર બેદરકારી
Valsad: Convent school teacher continues school despite corona, serious negligence of school system

Follow us on

વલસાડમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ વખતે વલસાડની કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકા કોરોનાની ચપેટમાં આવી છે. જોકે શાળાએ આ માહિતી છુપાવી અને શાળા ચાલુ રાખતા વિવાદ સર્જાયો છે. તો બીજી બાજુ આરોગ્ય અને શિક્ષણ વિભાગએ શાળા અને હોસ્પિટલને માત્ર નોટીસ ફટકારીને સંતોષ માની લીધો છે.

કોરોનાની બીજી લહેર તબાહી મચાવી ચુકી છે. સેંકડો લોકોને બીજી લહેર ભરખી ગઈ છે. તો કેટલાક બાળકો અનાથ થાય છે, કેટલાક ઘરો તૂટ્યા છે, કેટલાક દંપતીના જોડા વિખેરાયા છે. અને કેટલાક પરિવારોએ મોભી ગુમાવ્યા છે. આ વિચાર માત્રથી આંખોમાં આંસુ આવી જાય છે. જોકે આટઆટલુ થવા છતાં કોરોનાની ગંભીરતા કેટલાક લોકો સમજવા માંગતા નથી.

આવી જ એક ઘટના વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા શાળામાં 6 થી 8 ના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે શિક્ષિકાને કોરોનાના લક્ષણો હોવા છતાં શાળા ચાલુ હતી. ત્યારે શાળાની આ ગંભીર લાપરવાહી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

3 દિવસ પેહલા આ શિક્ષિકા કોરોના પોઝીટીવ આવ્યા હતા.જોકે તેમ છતાં શાળા તો ચાલુ જ રખાઈ હતી. પરંતુ અહી માત્ર શાળા જ નહિ પણ હોસ્પિટલની પણ લાપરવાહી છતી થઇ છે. વલસાડની કસ્તુરબા હોસ્પીટલમાં આ શિક્ષિકાનો રિપોર્ટ કરાયો હતો. જોકે હોસ્પિટલ સંચાલકોએ પણ આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. ત્યારે જીવલેણ સાબિત થયેલા કોરોનાની ગંભીરતાની જાણ હોવા છતાં હોસ્પિટલએ શા માટે માહિતી છુપાવી હતી એ પણ સવાલ ઉભો થયો છે.

તો બીજી બાજુ આરોગ્ય વિભાગે માટે હોસ્પિટલને નોટિસ ફટકારી ભવિષ્યમાં થતા ટેસ્ટ અંગે જાણ કરવા જણાવ્યું છે. આ રીતે શિક્ષણ વિભાગે પણ માત્ર શાળાને નોટિસ ફટકારી છે. બન્ને વિભાગ તરફથી બેદરકારી દાખવનાર બન્ને સંસ્થા સામે કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

આ સમગ્ર ઘટના અંગે શાળા સંચાલકોએ કેમેરા સામે આવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે અહીં સવાલ એ છે કે શિક્ષિકાના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જો કોરોનાનો શિકાર બને તો જવાબદારી કોની ? કોરોનાના કારણે લોકોના ટપોટપ મોત થયા હતા એ દિવસો હજુ ભુલાયા નથી.

ત્યારે કોન્વેન્ટ સ્કુલની સાથે સાથે કસ્તુરબા હોસ્પિટલ બન્ને ગંભીર બેદરકાર હોવાનું છતું થયું છે. તો શા માટે માત્ર નોટીસ આપીને તંત્ર ચુપ બેસી ગયું છે? જે હોય એ પણ આવા બેદરકારો સામે સખત કાર્યવાહી થવી જોઈએ કે જેથી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એવી લોક માંગ ઉઠી છે.

Next Article