Vadodara : પાદરા તાલુકાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો, વળતરની માંગ કરી

|

Aug 24, 2021 | 10:01 PM

ખેડૂતો ઉભા પાક પર ટ્રેકટર ફેરવવા મજબુર બન્યા છે.ત્યારે ખેડૂતોની રજૂઆત પર તંત્રએ સરકારના આદેશ મુજબ યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું છે.

ખેડૂતોને વધુ એક વાર પડતા પર પાટું પડ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના 10 જેટલા ગામોના ખેડૂતોના ઉભા પાક પર કોઈ વાયરસે હુમલો કરતા પાક નિષ્ફળ ગયો છે. જેના પગલે ખેડૂતોએ પાદરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી વળતરની માંગ કરી છે.

રાજયમાં ઓછા વરસાદના કારણે કપાસ, દિવેલા સહિતના પાકોમાં વાયરસ આવતા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.જેથી મોટાભાગના ખેડૂતો ઉભા પાક પર ટ્રેકટર ફેરવવા મજબુર બન્યા છે.ત્યારે ખેડૂતોની રજૂઆત પર તંત્રએ સરકારના આદેશ મુજબ યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું છે.

ગુજરાતમાં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ બીજા રાઉન્ડનો વરસાદ હજુ પડ્યો નથી. ખેડૂતો પોતાના ઉભા પાકને બચાવવા માટે વરસાદની રાહ જોઇ રહ્યાં છે . તેમજ જરૂર પડે તો સરકારને વહેલી તકે સિંચાઇના પાણી માટે પણ અપીલ કરી રહ્યાં છે . જો કે રાજયમાં પણ મોટાભાગન ડેમોમાં વર્ષ સુધી ચાલે તેટલું જ પીવાનું પાણી હોવાના પગલે સરકાર માટે પણ સિંચાઇનું પાણી આપવું એ મોટો પ્રશ્ન બન્યો છે.

તેવા સમયે સૂકા વાતાવરણના પગલે રાજયના અનેક જિલ્લામો ખેડૂતોના ઉભા પાકમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તેમજ તેના લીધે જો આગામી દિવસોમાં વરસાદ નહિ પડે તેઓ ખેડૂતોને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવશે .

આ પણ વાંચો : Narayan Rane Arrest: જાણો ભારતમાં કોઈ પણ મંત્રીની ધરપકડ કરવા માટે શું પ્રક્રિયા હોય છે

આ પણ વાંચો : Sabarkantha: જીલ્લામાં એકેય જળાશયમાંથી નથી અપાતા ખેડૂતોને કેનાલના પાણી, 2.28 લાખ હેકટર ખેતી પર સંકટ

 

Published On - 9:44 pm, Tue, 24 August 21

Next Video