હરિપ્રસાદ સ્વામીની અંત્યેષ્ટિ વિધિમાં અનુયાયીઓએ સ્વામીના સંસ્મરણો કર્યા તાજા

|

Aug 01, 2021 | 4:33 PM

બહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની અંતિમસંસ્કાર વિધિ અગાઉ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.મંદિર પરિસરમાં આવેલા લીમડા વન ખાતે લેવલિંગ સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે.તો લાખો હરિભક્તો નશ્વર દેહના અંતિમ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતના સોખડા હરિધામ મંદિરમાં બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના(Hariprashad Swami)  નશ્વર દેહની અંતયેષ્ટિ વિધિ યોજાશે.સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વિધિ સંપન્ન કરવામાં આવી છે.અંતિમ સંસ્કાર વિધિ પહેલાં સ્વામીજીના નશ્વર દેહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવવામાં આવશે.આ અંતયેષ્ટિ વિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Viay Rupani)પણ જોડાશે. હરિપ્રસાદ સ્વામીની અંતયેષ્ટિ વિધિમાં સંતો,મહંતો અને અનુયાયીઓ ઉમટ્યા છે.

 

 

અનુયાયીઓએ જણાવ્યુ હતું કે,”હરિપ્રસાદ સ્વામીએ ક્યારેય કોઈ સાથે ભેદભાવ કર્યો નથી અને તેમણે વ્યસન છોડવવા માટે અનેક પ્રયત્નો કરેલા છે,દર વર્ષ લાખો યુવાનોને એકઠા કરી વ્યસન મુક્ત કરાવ્યા છે.”

હાલ,બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની અંતિમસંસ્કાર વિધિ અગાઉ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.મંદિર પરિસરમાં આવેલા લીમડા વન ખાતે લેવલિંગ સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે..ઉપરાંત લાખો હરિભક્તો નશ્વર દેહના અંતિમ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Gujarat : ભાજપ સંગઠનના સૌથી મહત્વના સમાચાર,નવા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકર જીને સોંપાયો ચાર્જ

આ પણ વાંચો : Gujarat સરકારની 5 વર્ષની ઉજવણી પર લાગ્યું પરિવર્તનનું ગ્રહણ ?

Next Video