Breaking News: Vadodara: રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં 23 લોકો સામે નોંધાયો ગુનો

|

Mar 31, 2023 | 3:17 PM

Vadodara: વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટના સંદર્ભે 23 લોકો સામે સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમા 20 લોકો સામે નાગજોગ ગુનો નોંધાયો છે.

Breaking News: Vadodara: રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં 23 લોકો સામે નોંધાયો ગુનો

Follow us on

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટના સંદર્ભે 23 લોકો સામે સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમા 20 આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદી બની પથ્થરમારો અને તોડફોડ કરનારા ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ઘર્ષણ બાદ મામલો થાળે પડી ગયો છે.ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે રામજીના યાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું.રામનવમી નિમત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે બોલાચાલી થઈ હતી. જો કે, તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો, અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.એક તરફ રમઝાન ચાલી રહ્યા છે.

બીજી તરફ રામનવમીની શોભાયાત્રા થવાની ત્યારે પુરતો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. જેથી ઘર્ષણ વખતે જ પોલીસે મોરચો સંભાળી લીધો.ગણતરીની મિનિટોમાં જ તોફાની ટોળાઓને વિખેરી દેવાયા હતા.પોલીસે પણ લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરવા અપીલ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

વડોદરામાં રામ નવમીની વધુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જેમાં ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે  ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો.

જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે. તેમજ સ્થિતી પર કડક હાથે કાબુ લેવા સુચના આપવામાં આવી છે. પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલા ભરવા આદેશ કર્યો છે.વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ શહેરમાં વધુ પોલીસ કાફલો ભરૂચ અને ખેડાથી પોલીસ બોલાવાયો  છે.

આ પણ વાંચો: Gujarati Video : વડોદરામાં પથ્થરમારા બાદ પોલીસનું કોમ્બિંગ, 15 લોકોની અટકાયત, જુઓ Video

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારા બાદ બીજા દિવસે  શાંતિ જણાઈ છે. બજારોમાં દુકાનો પણ રાબેતા મુજબ ખુલી છે.

ઈનપુટ ક્રેડિટ- યુનુસ ગાઝી- વડોદરા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 10:31 am, Fri, 31 March 23

Next Article