Gujarati NewsGujaratVadodara na vaghodiya chokdi pase aksmat ma 9 loko na mot ane 17 jetla loko ghayal surat na rehvasio hovani khulyu
વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 9 લોકોનાં મોત 17 જેટલા મુસાફરો ઘાયલ, તમામ લોકો સુરતનાં રહેવાસી હોવાનું ખુલ્યું
વડોદરાના વાઘોડિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા 9 લોકો કાળનો કોળિયો બની ગયા. રાત્રે 3 વાગ્યાની આસપાસ વાઘોડિયા ચોકડી પર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો કન્ટેનરની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા 9 લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા […]
Follow us on
વડોદરાના વાઘોડિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા 9 લોકો કાળનો કોળિયો બની ગયા. રાત્રે 3 વાગ્યાની આસપાસ વાઘોડિયા ચોકડી પર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો કન્ટેનરની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા 9 લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આ તમામ લોકો સુરતના વતની છે. તેઓ ટેમ્પોમાં સવાર થઈને પાવાગઢ જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના અંગે જાણ થતા કલેક્ટર શાલિની અગ્રવાલ હોસ્પિટલ દોડી આવ્યા હતા તેમણે ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી અને તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્રને સૂચના આપી હતી.