રાજ્યમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ હેઠળ રસીકરણની કામગીરી થશે ઝડપી, લોકોને ઘરે બેઠા રસી અપાય તેવા સરકારના પ્રયાસ

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આજે કેબિનેટમાં રસીકરણ અને નિરામય યોજના અંગે થયેલી ચર્ચા અંગે માહિતી આપી હતી. તેમણે રાજ્યમાં થયેલા રસીકરણ અને રસીકરણને લઇને આગામી સમયમાં યોજવાના કાર્યક્રમ અંગે જાણકારી આપી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 6:57 PM

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Jitu Waghani)એ રાજ્યમાં રસીકરણ(Vaccination)ની કામગીરી અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યુ છે કે આરોગ્ય વિભાગ(Department of Health)ની અલગ અલગ ટીમોએ બીજો ડોઝ બાકી હોય તેવા 65 લાખ લોકોમાંથી 55 લાખ લોકોને શોધીને તેમને રસી આપી છે. તેમજ આગામી સમયમાં પણ ઘરે ઘરે જઈને લોકોનું રસીકરણ કરવાનો કાર્યક્રમ બનાવાયો હોવાની જાણકારી આપી.

 

જીતુ વાઘાણીએ આજે કેબિનેટ બેઠકમાં રસીકરણ અને નિરામય યોજના અંગે થયેલી ચર્ચા અંગે માહિતી આપી હતી. તેમણે રાજ્યમાં થયેલા રસીકરણ અને રસીકરણને લઈને આગામી સમયમાં યોજવાના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.

 

 

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે આરોગ્ય વિભાગ સરાહનીય કામગીરી કરી રહ્યુ છે. સાથે જ જણાવ્યુ કે મહેસાણાના 25 ગામમાં ઘરે ઘરે ટીમે પહોંચીને 1,200 લોકોને રસીનો બીજો ડોઝ આપ્યો છે. રાજ્યની જનતાના સહકારથી આ પરિણામ પ્રાપ્ત થયુ હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ.

 

 

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે સમગ્ર રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી 75માં અમૃત મહોત્સવ નિમિત્તે 75 ટીમ બનાવાશે. જે રોજના 75 ગામમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ અંતર્ગત રસીકરણની કામગીરી કરશે. આગામી 15 દિવસમાં જ રસીકરણની આ કામગીરી પૂર્ણ કરવાનું સરકારે આયોજન બનાવ્યુ છે. જીતુ વાઘાણીએ નિરામય યોજના અંગે કેબિનેટમાં ચર્ચા થઈ હોવાનું જણાવ્યુ હતુ, તેમણે જણાવ્યુ હતુ દરેક લોકોને હવે ઘરે બેઠા રસી અપાય તેવા સરકાર પ્રયાસ કરી રહી છે.

 

આ પણ વાંચોઃ Maharashtra Violence : રઝા એકેડમીની ઓફિસ પર પોલીસના દરોડા, ધારાસભ્ય મુફ્તીએ કર્યો ચોંકાવનારો દાવો

 

આ પણ વાંચોઃ Startup Challenge 2021: IIT મંડી આપી રહ્યું છે 50 લાખ અને અનેક ઈનામો જીતવાની તક, આ રીતે કરો રજિસ્ટ્રેશન

 

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">