તેમાં પણ ગુજરાતીઓ માટે માનવામાં આવે છે કે, તેઓ એક ઉજવણી સાથે અનેક વસ્તુઓનો આનંદ લેતા હોય છે. ત્યારે ટેરેસ પર ડી.જેનો ધમધમાટ સંભળાઇ રહ્યો છે. લોકો પતંગ ચગાવવાની સાથે ડી.જેના તાલે પણ ઝૂમી રહ્યાં છે. એટલું જ નહિં સમગ્ર વાતાવરણ કાપ્યો જ છે, ની બૂમોથી ગૂંજી ઉઠયું છે.
ધાબા પર પતંગ ચગાવવામાં, ચીક્કી ખાવામાં અને ઉત્તરાયણને મન ભરીને માણવામાં પતંગ રસિયાઓ મસ્ત બની ગયા છે. સાથે જ લોકો એકબીજાના પેચ કાપવામાં વ્યસ્ત છે. તો આજે પવન પણ જાણે પતંગ રસિયાઓની ખુશીમાં સહભાગી બની રહેશે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.
આજના દિવસે 9થી 17 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહેશે, અને પતંગરસિયાઓને પતંગબાજીની મોજ કરાવશે. સવારના 8થી 4 સુધી પવનની ગતિ 10થી 17 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ત્યારબાદ પવનની ગતિ 12થી 17 કિમી રહેવાની શક્યતા છે.
મકરસંક્રાતિનો મહાઉત્સવ હોય અને ખાવાપીવાના શોખીન રહેલા ગુજરાતીઓ ઉંધિયું અને જલેબી ન આરોગે તો ઉત્તરાયણ કેવી રીતે જામે? ચિક્કીનું ચક્કર તો આખો દિવસ ચાલુ જ રહેશે પરંતુ બપોર પડતા જ પતંગરસિયાઓ ઉંધિયું અને જલેબીની જયાફત ઉડાવવા થોડા સમય માટે ધાબા પરથી નીચે આવશે. તો ઉંધિયા માટે ઠેર ઠેર કાઉન્ટર પણ લાગી ગયા છે. બપોરના સમયે ઉંધિયાના કાઉન્ટર પર લોકોની ભારે ભીડ જોવા મળી શકે છે.
[yop_poll id=592]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]