અમદાવાદમાં ટ્રમ્પના આગમનને લઈ સાબરમતી આશ્રમ પાસે બનાવાયેલી દિવાલ વિવાદમાં આવતાં, હવે તેને ઢાંકવાનો પ્રયત્ન કરાયો છે. તંત્રએ વિવાદમાં આવેલી દિવાલને ઢાંકવા સરણિયા વાસ પાસે વૃક્ષારોપણ શરૂ કર્યું છે. વિદેશી મહેમાનોને દિવાલ ન દેખાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે અહીં આવેલી ગરીબોની ઝૂંપડપટ્ટી ટ્રમ્પને ન દેખાય તે માટે પહેલા ઊંચી દિવાલ ચણવામાં આવી હતી. જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. લોકોમાં એવી ચર્ચા વહેતી હતી કે ગરીબી ઢાંકવા માટે આ દિવાલ ચણવામાં આવી છે. ત્યારબાદ હવે આ દિવાલને ઢાંકવા તંત્રએ વૃક્ષારોપણ કર્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: આણંદની તારાપુર APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2355, જાણો જુદા-જુદા પાકોના ભાવ