રાજ્ય સરકારે મોડી સાંજે વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરીને 26 IAS અધિકારીઓની બદલી કરી છે. જેમાં સચિવ કક્ષાના સિનિયર અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. વાહન વ્યવહાર વિભાગમાંથી સુનેના તોમરને ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગમાં બદલી કરાઈ છે. ગ્રામ-વિકાસ કમિશનર એસ.જે હૈદરની GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બદલી કરાઈ છે. મનોજ અગ્રવાલની એસ.જે હૈદરના સ્થાને નિમણૂક કરાઈ છે.
GSRTCમાંથી સોનલ મિશ્રાને નર્મદા વોટર રિસોર્સ, સપ્લાઈ અને એન્ડ કલ્પસર વિભાગમાં બદલી કરાઈ છે. આંણદના કલેક્ટર દિલીપ રાણાની ટ્રાઈબલ ડેવલપમેન્ટ વિભાગના કમિશનર તરીકે બદલી કરાઈ છે. કચ્છ-ભૂજના કલેકટર નાગરાજ.એમની ઉચ્ચ વિભાગમાં બદલી કરાઈ છે. રજનીથ કુમારની ટ્રાઈબલ વિભાગના કમિશનર પદેથી નાના અને મધ્યમ ઉદ્યોગ વિભાગના કમિશનર તરીકે નિમણૂક અપાઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સાબરકાંઠાના કલેક્ટર પ્રવીણા ડી.કેની કચ્છ-ભૂજ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. નવસારીના ડીડીઓ આર.જી ગોહિલની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. સી.જે પટેલની શ્રમ વિભાગમાંથી સાબરકાંઠાના કલેકટર તરીકે બદલી કરાઈ છે. અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી સી.એમ પાડલીયાની સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગમાં બદલી કરાઈ છે. ખેડા-નડીયાદના ડીડીઓ ગાર્ગી જૈનની મહિલા અને બાળ વિકાસમાં બદલી થઈ છે. ડી.એસ ગઢવીની ખેડા નડીયાદના ડીડીઓ તરીકે બદલી કરાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 4:48 pm, Thu, 12 December 19