સોમનાથનું જમીનથી અધ્ધર રહી હવામાં તરતું શિવલિંગ- ચમત્કાર કે પ્રાચીન ભારતનું અદભૂત વિજ્ઞાન? ગઝનવી પણ જોઈને રહી ગયો હતો દંગ !

ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલુ સોમનાથ મંદિર એ માત્ર 12 જ્યોતિર્લિંગોમાંનું જ પ્રથમ જ્યોતિર્લિંગ નથી પરંતુ તે પ્રાચન ભારતીય સ્થાપત્ય અને વિજ્ઞાનના અદ્દભૂત સંગનું પણ પ્રતિક છે. આજે આપણે જે ભવ્ય મંદિર જોઈએ છીએ તેનાથી સેંકડો સદીઓ પહેલા અહીં એક એવુ શિવલિંગ બિરાજમાન હતુ જે કોઈપણ આધાર વિના જમીનથી અધ્ધર હવામાં સ્થિર અને સ્થિત રહેતુ હતુ. શું આ કોઈ ચમત્કાર હતો કે સદીઓ પહેલા આપણા પ્રાચીન કારીગરોએ શોધેલુ વિજ્ઞાન. ચાલો આજે સોમનાથ મંદિરના એ જમીનથી અધ્ધર હવામાં તરતા જ્યોતિર્લિંગના રહસ્યના ઈતિહાસને સમજીએ.

સોમનાથનું  જમીનથી અધ્ધર રહી હવામાં તરતું શિવલિંગ- ચમત્કાર કે પ્રાચીન ભારતનું અદભૂત વિજ્ઞાન? ગઝનવી પણ જોઈને રહી ગયો હતો દંગ !
| Updated on: May 15, 2026 | 4:31 PM

સ્કંદ પુરાણમાં વર્ણન મળે છે કે સોમનાથ મંદિરનું નિર્માણ અલગ-અલગ યુગોમાં અલગ-અલગ સામગ્રીથી થયું હતું. સતયુગમાં ચંદ્રદેવે તેને સોનાનું બનાવ્યું હતું, ત્રેતાયુગમાં રાવણે ચાંદીથી તેનું પુનઃનિર્માણ કરાવ્યું, અને દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણે ચંદનના લાકડામાંથી આ મંદિરને ભવ્યતા આપી હતી. ત્યારબાદ સોલંકી રાજા ભીમદેવે તેનું પથ્થરોથી નિર્માણ કરાવ્યું હતું. ઇતિહાસકારો અને પ્રાચીન ગ્રંથો મુજબ, તે સમયે શિવલિંગ ‘અંગુષ્ઠ પ્રમાણ’ એટલે કે અત્યારના શિવલિંગ કરતા કદમાં નાનું હતું અને તેને કોઈ પણ પ્રકારનો ઉપર કે નીચેથી ટેકો કે આધાર નહોતો, જેના કારણે તેને ‘લેવિટેટિંગ શિવલિંગા’ કહેવામાં આવતું હતું. આ શિવલિંગને 1026 A.D.માં મહમુદ ગઝનવીના હુમલામાં આ તોડી પાડવામાં આવ્યુ. આ શિવલિંગના હવામાં સ્થિર હોવા પાછળ આદ્યાત્મિક કારણ પણ રહેલુ છે તો સાથોસાથ વિજ્ઞાન પણ છે. એવુ માનવામાં આવે છે કે શિવલિંગનો આધાર કોઈ ભૌતિક તત્ત્વ ન હોઈ શકે. શિવ શૂન્ય, શુદ્ધ, ચેતના અને તમામ તત્વોથી પરે છે. શિવ ભૌતિક સંસારની સીમાઓથી પરે, અનંત અને અસીમ છે. સોમનાથ મંદિરના હવામાં તરતા જ્યોતિર્લિંગ ને સાબિત કરવા...

Published On - 9:55 pm, Mon, 11 May 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us