ખેડૂતોનો આરોપ છે કે વંથલી તાલુકાના ખોરાસા ચીત્રી ગામને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર છે. જેને લઇ લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. જેથી ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી અને બિસમાર રસ્તો તાત્કાલિક બનાવવા માંગ કરી.
ખેડૂતોનો આક્ષેપ છે કે ”સરકારે સાબરી ડેમ બનાવ્યો પણ આવવા જવા રસ્તો બનાવ્યો નથી. જે રસ્તો છે તે ખૂબ જ બિસ્માર છે.” બિસ્માર રસ્તાને લઈને ખોરાસા અને ચિતરી ગામના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી આ ગામના સરપંચોએ ગ્રામપંચાયતના લેટર પેડ પર રજુઆત લખીને કલેક્ટરને તાત્કાલિક રસ્તો સુધારવાની માગ કરી હતી અને જો રસ્તો તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી.