Surat: આગામી સમયમાં સ્થાનિકોને દૂષિત પાણી પીવાનો વારો આવશે? જાણો કેમ પાલિકાની ચિંતા વધી

સુરતમાં કોઝવેની સપાટી નીચી જાય ત્યારે વોટર લેવલ ડાઉન જતા ઓછા અને દૂષિત પાણીની ફરિયાદ મોટાભાગના વિસ્તારોમાંથી ઉઠવા પામે છે. અને આવી જ સ્થિતિ હવે થતી જોવા મળી રહી છે.

Surat: આગામી સમયમાં સ્થાનિકોને દૂષિત પાણી પીવાનો વારો આવશે? જાણો કેમ પાલિકાની ચિંતા વધી
સુરત કોઝવે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 01, 2021 | 3:13 PM

ચોમાસુ માથે છે છતાં કોઝવેની સપાટી નીચી જતા પાલિકાની ચિંતા વધી છે. છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં માત્ર છુટાછવાયો વરસાદ જ વરસ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ આગાહી પ્રમાણેનો વરસાદ વરસ્યો નથી. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પણ હવે પાણી છોડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી. જેના કારણે સુરત મનપા દ્વારા કોઝવેના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. પણ હવે તેવું શક્ય ન બનતા કોઝવેની સપાટી 4.86 મીટર પર પહોંચી ગઈ છે.

કોઝવેની સપાટી નીચી જાય ત્યારે વોટર લેવલ ડાઉન જતા ઓછા અને દૂષિત પાણીની ફરિયાદ મોટાભાગના વિસ્તારોમાંથી ઉઠવા પામે છે. અત્યારસુધી શહેરમાં વરસાદ સારો રહ્યો હતો તે સમયે કોઝવેની સપાટી પાંચ મીટર કરતા ઉપર રહેવા પામી હતી. તે સમયે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઝવેના દરવાજા ખોલીને ગંદા કચરાનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો.

પાલિકાને અંદાજો હતો કે આ દિવસોમાં વરસાદ સારો રહેશે ઉપરાંત ઉકાઈ ડેમમાંથી પાણી પણ છોડવામાં આવશે તો ઉકાઈની સપાટી પાંચ મીટર કરતા ઉપર જળવાઈ રહેશે. જોકે પાલિકાનું આ અનુમાન ખોટું પડ્યું છે. અને હાલ કોઝવેની સપાટી 4.86 મીટર પર આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સુરત સહિત ઉકાઈના ઉપરવાસમાં પણ વરસાદ ખૂબ ઓછો છે. હાલમાં ઇનફ્લો અને આઉટફ્લો માત્ર 600 ક્યુસેક જ નોંધાયો છે. જેના કારણે કોઝવેની સપાટી 4.86 મીટર પર અટકી છે. જેથી આગામી સમયમાં સ્થાનિક લોકોને દૂષિત પાણી પીવાનો વખત આવે તેવી સંભાવના છે.

કોઝવેની સપાટી 5 મીટર કરતા નીચે જાય એટલે આસપાસના વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો ઉઠે છે. જેના પગલે મનપાને સિંચાઈ વિભાગને પાણી છોડવા આજીજી કરવી પડે છે. હાલમાં જ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાથી ગંદા પાણીની ફરિયાદ ઉઠી નથી. પરંતુ જો સ્થિતિ આવી રહી તો આવનારા દિવસોમાં આ ફરિયાદ સુરત મનપા માટે ચિંતા ઉભી કરી શકે છે.

આ પણ વાંચો: Surat: તક્ષશિલા દુર્ઘટનાના 25 મહિના બાદ પણ વાલીઓમાં ભભૂકી રહી છે ન્યાય માટેની આગ, કરી આ માંગ

આ પણ વાંચો: National Doctor’s Day: કોરોના થયો હોવા છતાં ચૂક્યા નહીં ડોકટરનો ધર્મ, જીવના જોખમે દર્દીનો બચાવ્યો જીવ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">