Rajkot: વર્ષોથી તૂટેલી હાલતમાં કોઝ-વે, ધોધમાર વરસાદમાં જીવના જોખમે પસાર થાય છે લોકો, જુઓ Video
Rajkot: નાનામૌવા વિસ્તારમાં આવેલો કોઝ-વે વર્ષોથી તૂટેલી હાલતમાં છે. સાથે આવા વરસાદમાં લોકોને ત્યાંથી પસાર થવા માટે ભારે જોખમ ખેડવું પડે છે.
રાજકોટના નાનામૌવા વિસ્તારમાં આવેલો કોઝ-વે વર્ષોથી તૂટેલી હાલતમાં છે. તેવી સ્થિતિમાં જ્યારે ચોમાસામાં તેમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યારે તો તેની હાલત વધારે ખરાબ થઈ જાય છે. આંબેડકરનગરને જોડતો આ બ્રિજ છેલ્લા 8 વર્ષથી તૂટેલી હાલતમાં છે. આટલા વર્ષોથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આટલી હાલાકી હોવા છતાં તંત્રએ તેનું સમારકામ કરવાની કામગીરી નથી કરી.
જાહેર છે કે આ વર્ષે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં કહેર વરસાવ્યો છે. આવી સ્થિતિમાં ખુબ પાણી ભરાયા છે. રાજકોટમાં પણ ઘણી જગ્યાએથી પાણી ભરાયાની ફરિયાદ આવી છે. તેવામાં નાનામૌવા વિસ્તારમાં આવેલો કોઝ-વેને લઈને સ્થાનિકો વધુ હાલાકી ભોગવી રહ્યા છે. કેમ કે તેમનું કહેવું છે કે આ કોઝ-વે વર્ષોથી તૂટેલી હાલતમાં છે. અને સ્થાનિકો તેના સમારકામની રાહ જોઇને બેઠા છે. વરસાદી ઋતુમાં આ કોઝ-વે ઉપરથી પસાર થવામાં લોકોને અત્યંત મુશ્કેલી પડે છે ત્યારે તંત્રએ વહેલી તકે કોઝ-વેને રિપેર કરાવવો જોઈએ.
દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે આ કોઝ-વેથી પસાર થવું એટલે જીવને જોખમમાં મુકવા જેવું છે. પરંતુ લોકોનું દુર્ભાગ્ય છે કે વર્ષો છતાં આ માર્ગની હાલત ખારબ છે અને તેમને હાલકી ભોગવવી પડી રહી છે.
આ પણ વાંચો: Gir Somnath: કુદરતની કેવી કળા? એક તરફ તારાજી તો બીજી તરફ અહ્લાદક બન્યો જમજીર ધોધ, જુઓ Video
આ પણ વાંચો: Junagadh: ભારે વરસાદથી ઘેડના ખેતરો બન્યા નદી સમા, જગતના તાતે સર્વે કરીને સહાય આપવાની સરકારને માંગ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના