આખા વર્ષ દરમિયાન તમામ બહેનો રક્ષાબંધનની આતૂરતાથી રાહ જોતી હોય છે. અને રક્ષાબંધનને હવે ફક્ત એક મહીનો જ રહ્યો છે.ત્યારે ભારતીય તહેવારોમાં ચાઈનીઝ બનાવટોનો ખૂબ ઉપયોગ થતો હોય છે.જો કે હવે પ્રધાનમંત્રી મોદીએ જ્યારથી આત્મનિર્ભર બનવાની વાત કરી છે ત્યારથી હવે સૌ કોઈ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે.
સુરતના વેસુ વિસ્તારમાં રાખડી બનાવતી મહિલા મંડળે આ વર્ષે નિર્ણય કર્યો છે કે તેઓ રાખડીમાં ચાઈનીઝ વસ્તુઓનો ઉપયોગ નહિ કરે.આ મહિલાઓનું માનવુ છે કે ચીનની સામે યુધ્ધ નહિ પણ બહિષ્કારનું હથિયાર અપનાવી શકાય છે.