Surat : આ રવિવારે મળશે સુરતને નવા બે બ્રિજની ભેટ, રોશનીથી ઝળહળી ઉઠ્યો બ્રિજનો નજારો

|

Jun 14, 2022 | 9:46 AM

હવે આગામી માત્ર એક જ સપ્તાહમાં (Week )ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. સુરત શહેરના કાપડ બજારને પગલે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ વાહન ચાલકો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે.

Surat : આ રવિવારે મળશે સુરતને નવા બે બ્રિજની ભેટ, રોશનીથી ઝળહળી ઉઠ્યો બ્રિજનો નજારો
New bridge in Surat (File Image )

Follow us on

સુરત શહેરનો સૌથી વ્યસ્ત(Busiest ) અને 24 કલાક વાહનોથી(Vehicles ) ધમધમતા રહેતા રિંગરોડ ફ્લાયઓવર(Flyover ) બ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે ફ્લાયઓવર બ્રિજની રિંગરોડ ઉપર સહારા દરવાજા પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રિજનું કામ પણ હવે અંતિમ તબક્કામાં છે. મનપા દ્વારા આગામી ૨૫ જૂન સુધીમાં રિંગરોડ ખુલ્લો મુકાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ શાસકોએ તાત્કાલિક બ્રિજ ખુલ્લો મુકવા આદેશ કરતા હવે માત્ર એક જ સપ્તાહમાં રિંગરોડ અને સહારા દરવાજા બ્રિજ ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે બંને ઓવરબ્રિજ ખુલ્લા મુકાયા બાદ સહારા દરવાજાની ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ આવી જશે તેમાં કોઈ બે મત નથી.

રિંગરોડ પર આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર ફ્લાય ઓવ૨બ્રિજની સુપર સ્ટ્રક્ચર લિફ્ટીંગ – બેરિંગ રિપ્લેશમેન્ટ સહિતની કામગીરીને પગલે ગત તારીખ 9મી માર્ચથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. 16 જુન સુધી રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવા તારીખ નિર્ધારિત કરાઈ હતી પરંતુ હજુ બીજા વધારાના 10 દિવસની માંગણી કરવામાં આવી હતી. આ સ્થિતિમાં હવે વહીવટી તંત્ર દ્વારા આગામી ૨૫મી જુન સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જુઓ વિડીયો :

જાણવા જેવું

  1. 133 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે બ્રિજ
  2. 2.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો બ્રિજ
  3. 25 ઓક્ટોબર 2017 ના દિવસે કરાયું હતું ખાતમુહૂર્ત
  4. જૂન 2022માં ખુલ્લો મુકાશે નવા બે બ્રિજ
  5. 15 લાખ લોકોને થશે સીધો ફાયદો

પરંતુ શાસકોએ તાત્કાલિક ધોરણે વરસાદ શરુ થાય તે પહેલા બંને ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવા જણાવી દીધું હતું. જેથી હવે આગામી માત્ર એક જ સપ્તાહમાં ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. સુરત શહેરના કાપડ બજારને પગલે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ વાહન ચાલકો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. જોકે, છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી બ્રિજની રિપેરિંગની કામગીરીને પગલે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

સેંકડો કાપડ માર્કેટોમાં રોજીંદા હજ્જારો મુલાકાતીઓના આવાગમનને પગલે પીક અવર્સમાં રિંગરોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ કાયમી થઈ ચુકી છે ત્યારે હવે વધુ એક પખવાડિયા સુધી લોકોએ આ હાલાકીનો સામનો કરવો પડશે. અલબત્ત, વહીવટી તંત્ર દ્વારા બ્રિજ નીચે બન્ને તરફ આવેલ રોડ પર વાહન પાર્ક કરવા સાથે માલસામાનના લોડિંગ – અનલોડિંગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં પણ ઘણી વખત ટ્રાફિક જામની સ્થિતિ વિકરાળ બની રહે છે. રિંગરોડ પર આવેલા ફ્લાય ઓવર બ્રિજ સાથે સંકળાયેલા સહારા દરવાજા રેલવે ફ્લાયઓવર બ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે.

Next Article