Surat : લીંબાયત વિસ્તારમાં સગીરા અને યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા રહસ્ય

|

Aug 19, 2022 | 12:50 PM

વધુમાં જાણવા મળ્યું છે કે આ બંને જણા 12 ઓગસ્ટ ના રોજ લીંબાયત વિસ્તારમાં રહેવા આવ્યા હતા.અને આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે.

Surat : લીંબાયત વિસ્તારમાં સગીરા અને યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા રહસ્ય
Limbayat Police Station (File Image )

Follow us on

સુરત(Surat ) શહેરના લીંબાયતના(Limbayat ) સ્થાનિક વિસ્તારના એક ઘર માંથી 14 વર્ષીય સગીરા અને 23 વર્ષીય યુવકની(Youth ) પંખા સાથે રૂમાલ અને ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ આ બાબતે લિંબાયત પોલીસ દ્વારા આપઘાત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.સગીરા અને યુવકની પંખા સાથે રૂમાલ અને ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

સુરત શહેરના લીંબાયતના સ્થાનિક વિસ્તારના એક ઘર માંથી 14 વર્ષીય સગીરા અને 23 વર્ષીય સિબારામ નામના યુવકની પંખા સાથે રૂમાલ અને ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.ઘટના જાણ પોલીસ ને થતા જ લીંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને બંનેની લાશ નો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તે ઉપરાંત હાલ પોલીસે આ મામલે આપઘાત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

યુવક સગીરાને ઓરિસ્સાથી ભગાવી લાવ્યો હતો

આ બાબતે આ કેસના તપાસ કરતાં અધિકારી પી.એસ.આઇ એમ.એમ.ગામીતએ જણાવ્યું હતું કે, ગતરોજ રાત્રે ઘટનાની જાણ થતા જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ચૂક્યા હતા. હાલ તપાસ દરમિયાન મૃતક કિશોરી જેમનું નામ હમવતી અને મૃતક યુવકનું નામ સીબારામ જેમણે એક અઠવાડિયા પહેલા જ આ 14 વર્ષીય સગીરાને પોતાની સાથે ઓરિસ્સાથી ભગાડી લાવ્યો હતો. અને લીંબાયત વિસ્તારમાં રહેવા લાગ્યો હતો.જોકે બંને જ સુરતમાં પેહલી વખત આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે

વધુમાં જાણવા મળ્યું છે કે આ બંને જણા 12 ઓગસ્ટ ના રોજ લીંબાયત વિસ્તારમાં રહેવા આવ્યા હતા. અને આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. સગીરાના વાલી વારસનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે સાથે સાથે કયા કારણસર આ પગલું ભરી દીધું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Next Article