AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : જાહેરમાં રેગીંગ કરનાર સિનિયર તબીબો નિર્દોષ પુરવાર થવાની સંભાવના, કેસમાં ભીનું સંકેલવાના પ્રયાસો

હોસ્પિટલ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે હાલમાં જે ઘટના બની છે તેમાં યોગ્ય તપાસ કરવામાં આવશે . તપાસ કમિટીનો જે રીપોર્ટ આવશે તેમાં પણ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે . આ ઉપરાંત આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને તે માટે યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે .

Surat : જાહેરમાં રેગીંગ કરનાર સિનિયર તબીબો નિર્દોષ પુરવાર થવાની સંભાવના, કેસમાં ભીનું સંકેલવાના પ્રયાસો
Surat Medical Collage Ragging Case (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 30, 2022 | 4:39 PM
Share

સુરત(Surat) મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં(SMIMER Hospital) ગત 22 મી તારીખે રેગિંગ (Ragging) પ્રકરણમાં આગામી દિવસોમાં તપાસ કમિટી દ્વારા રીપોર્ટ સબમિટ કરી દેવાની સંભાવના છે . કમિટી દ્વારા નરો વા કુંજરોવાની નીતિ અપનાવામાં આવે તેવી પણ સંભાવના સેવાઇ રહી છે . રેગિંગનો ભોગ બનેલ વિદ્યાર્થી દ્વારા તપાસ સમિતિ સમક્ષ કોઈપણ પ્રકારની ફરિયાદ નહીં કરવામાં આવતા આખા પ્રકરણનું ફીંડલું વળી જશે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે . તપાસ કમિટી દ્વારા સીસીટીવી ફૂટેજ અને સ્ટાફ સહિતનાં નિવેદનો લેવાયા છે જેના આધારે અંતિમ નિર્ણય લેવાશે . વખતોવખત વિવાદનું ઘર બનેલી સ્મીમેર હોસ્પિટમાં બે જુનિયરો પર રેગિંગની ઘટના બની હતી જેના ઘેરા પ્રત્યાઘાત પડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો . આ સંદર્ભે તબીબી જગતમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ના છૂટકે સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તપાસ કમિટીનાં નામે સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પહેલેથી જ આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ

જે તે સમયે સ્મીમેરના વહીવટી તંત્ર પર ભારે માછલાં ધોવાતાં સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો.દિપક હોવલે દ્વારા પાંચ વિભાગીય વડાઓને તાત્કાલિક આ કેસમાં ઈકવાયરી કરી રીપોર્ટ આપવા આદેશ કરાયો હતો . ત્રણ દિવસમાં જે રીપોર્ટ આપવાનો હતો તે વાતને અઠવાડિયા જેટલો સમય થઇ ગયા બાદ પણ હજુ સુધી રીપોર્ટ સબમીટ કરવામાં આવ્યો નથી. મહત્વની વાત તો એ છે કે પહેલેથી જ આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ થતો હોવાના કારણે રીપોર્ટમાં પણ કંઈ સામે આવે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું નથી . પરંતુ આ સમગ્ર કેસમાં તપાસ કમિટી દ્વારા વીડિયોમાં દેખાતા અન્ય સ્ટાફના નિવેદન પણ લેવાયા છે જેના આધારે કોઈ કાર્યવાહી થાય તો નવાઈ નહીં .

બંને જુનિયર તબીબનું અપેક્ષિત મૌન

સિનિયરોનાં રેગિંગનો ભોગ બનનાર બંને જુનિયર તબીબો એટલી હદે ડરી ગયા હતા કે મગનું નામ મરી પાડવા તૈયાર જ નહતા.પ્રાથમિક પૂછપરછમાં પણ બંને પૈકી એક પણ તબીબે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું . તપાસ કમિટી સામે પણ તેઓએ યોગ્ય જવાબ આપ્યો ન હતો . જેથી તેમને લેખિતમાં નિવેદન આપવા પણ જણાવવામાં આવ્યું હતું . હવે આ સમગ્ર કેસમાં ત્રણેય સિનિયર તબીબોએ ભલે જાહેરમાં રેગિંગ કર્યું પરંતુ આ કેસમાં તેઓ નિર્દોષ પુરવાર થઇ નીકળી જશે તેવું લાગી રહ્યું છે .

ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે ધ્યાન રાખવામાં આવશે

હોસ્પિટલ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે હાલમાં જે ઘટના બની છે તેમાં યોગ્ય તપાસ કરવામાં આવશે . તપાસ કમિટીનો જે રીપોર્ટ આવશે તેમાં પણ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે . આ ઉપરાંત આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને તે માટે યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે . તેઓએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓમાં તપાસ કમિટી બનાવવા કરતા પહેલા એકવાર એકશન લઇ લેવા જોઈએ . જેથી કરી ભવિષ્યમાં બીજી વાર આવી કોઈ ઘટના ન બને .

સીસીટીવી ફૂટેજ ચેક કરાયા સિક્યુરિટીના નિવેદન લેવાયા

તપાસ કમિટીએ સ્મીમેર હોસ્પિટલના અલગ અલગસ્થળના સીસીટીવી કેમરા ચેક કરી ફૂટેજ કબ્જે કર્યા હતા . આ સીસીટીવી કેમેરામાં પણ બે પૈકી એક તબીબ સતત દોડતો હોવાનું કેદ થયું છે . પરંતુ ઓડિયો ન હોવાના કારણે શું વાતચીત થઇ રહી છે તે જાણવા મળ્યું નથી . આ ઉપરાંત સ્મીમેરના રેગિંગવાળા વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા સીક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી ફુટેજમાં પણ દેખાતા અન્ય કર્મચારીઓના પણ તપાસ કમિટી દ્વારા નિવેદન લેવામાં આવ્યા હોવાનું સ્મીમેરના ડીન ડો.દિપક હોવલેએ જણાવ્યું હતું .

આ પણ વાંચો :  Vadodara મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડ- 2022નું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ

આ પણ વાંચો :  Rajkot : રખડતા ઢોર મામલે સરકાર કાયદો લાવે તે પહેલા માલધારી સમાજે નોંધાવ્યો વિરોધ, પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">