Breaking News : સુરતના 118 રત્નકલાકારોને મારી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ, કૂલરના પાણીમાં ભેળવ્યો હતો આ પદાર્થ

સુરત : અવિશ્વસનીય પણ સત્ય! સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્ષમાં આવેલા “અનભ જેમ્સ” નામના રત્ન કારખાનામાં એક ગંભીર ઘટના સામે આવી છે. 118 જેટલા  રત્ન કલાકારોને કૂલરનું પાણી પીધા બાદ તબિયત લથડવા લાગી હતી. જે પછી 108 જેટલા રત્ન કલાકારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Breaking News : સુરતના 118 રત્નકલાકારોને મારી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ, કૂલરના પાણીમાં ભેળવ્યો હતો આ પદાર્થ
| Edited By: | Updated on: Apr 10, 2025 | 10:16 AM

સુરત : અવિશ્વસનીય પણ સત્ય! સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્ષમાં આવેલા “અનભ જેમ્સ” નામના રત્ન કારખાનામાં એક ગંભીર ઘટના સામે આવી છે. 118 જેટલા  રત્ન કલાકારોને કૂલરનું પાણી પીધા બાદ તબિયત લથડવા લાગી હતી. જે પછી 108 જેટલા રત્ન કલાકારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

શું હતી ઘટના ?

ગઈકાલે કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોને કૂલરનું પાણી પીધા બાદ એકે એક તબિયત લથડવા લાગી. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને 108 જેટલા કલાકારોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી કિરણ હોસ્પિટલમાં 104  રત્ન કલાકાર દાખલ છે. ડાયમંડ હોસ્પિટલમાં 14 રત્ન કલાકાર દાખલ સારવાર હેઠળ છે. ICUમાં 2 રત્ન કલાકાર દાખલ દાખલ છે.  તમામની તબિયત હાલ સ્થિર છે અને તબીબોની દેખરેખ હેઠળ છે.

 તપાસમાં શું ખુલ્યુ ?

પોલીસ અને FSLના અનુસંધાનમાં ખુલાસો થયો છે કે કૂલરમાં સેલ્ફોસ નામનું ઝેરી પદાર્થ મળ્યું છે. આ પદાર્થનું પાઉચ કોઇએ ખાસ રીતે કૂલરમાં નાખ્યું હતું. જો કે પાઉચનું અંદરનું પેકેટ ખુલ્યું ન હોવાથી ઝેરી અસરની તીવ્રતા ઓછી રહી અને મોટી જાનહાનિ ટળી.

સરકારે તાત્કાલિક પગલાં લીધા

મામલાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ઘટનાની તમામ માહિતી મેળવી હતી. તેમના આદેશ બાદ રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયા સુરત પહોંચ્યા હતા. તેમણે જાતે જ હોસ્પિટલની મુલાકાત લઈને અસરગ્રસ્ત કલાકારોની ખબર લઈ અને મુખ્યમંત્રીને સ્થિતિની જાણકારી આપી.

હાલની સ્થિતિ શું છે ?

તબીબોની સૂચના મુજબ, બધાની તબિયત સ્થિર છે. તમામ પર ચિકિત્સકોની કાળજીપૂર્વક દેખરેખ ચાલી રહી છે.  જો તબિયત સ્થિર જણાશે તો રત્નકલાકારોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ ઘટના એક ચેતવણીરૂપ સાબિત થઈ છે કે કારખાનાઓમાં કામદારોની સલામતી માટે વધુ સજાગતા જરૂરી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, પણ આવા ષડયંત્ર પાછળ કોણ છે તે શોધવી અને જવાબદારને કડક સજા થાય તે જરૂરી બની રહ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:07 am, Thu, 10 April 25