AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: શહેરનો સૌથી વ્યસ્ત રિંગરોડ ફલાય ઓવર બ્રિજ 2 મહિના માટે બંધ કરવામાં આવશે, જાણો શું છે કારણ

આ બે માસના સમય દરમિયાન, અડાજણ, રાંદેર વિસ્તાર તરફથી આવતાં લોકોએ રેલ્વે સ્ટેશન આવવા જવા માટે તાપી નદી પર બનાવવામા આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.

Surat: શહેરનો સૌથી વ્યસ્ત રિંગરોડ ફલાય ઓવર બ્રિજ 2 મહિના માટે બંધ કરવામાં આવશે, જાણો શું છે કારણ
Surat ring road flyover bridge (File Photo)
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 08, 2022 | 1:54 PM
Share

સુરત (Surat) શહેરમા ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે જૂન-2000માં ખુલ્લા મુકાયેલા ડો.બાબાસાહેબ આંબેડકર ફ્લાય ઓવર બ્રિજ (flyover bridge) જે સામાન્ય રીતે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ તરીકે ઓળખાય છે, તેને રીપેરિંગ (Repairing) માટે બે માસ માટે બંધ કરાયો છે. સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation)  દ્વારા તા.9 માર્ચથી તા.8 મે સુધી બ્રિજનું રિપેરિંગ કરાશે. જેથી બંધ કરવા માટેની જાહેરાત અત્યારથી કરવામાં આવી છે.

સુરત શહેરના વચ્ચે અને કાપડ માર્કેટ (Textile market) માં આવેલ રીંગરોડ (ring road) ફ્લાયઓવર તરીકે ઓળખાતો ડો.બાબા સાહેબ આંબેડકર બ્રિજ સુરતના સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક છે. જ્યાં દરોજ હાજરો વ્હાનોની અવર જવર થતી હોય છે આ બ્રિજ બન્યા બાદ અત્યાર સુધીમાં નાના રીપેરીંગ કામ થયા છે. પણ હાલમાં આ બ્રિજના સુપર સ્ટ્રકચર લીફટિંગ સાથે બેરિંગ રિપ્લેશમેન્ટ કરવાની તાતી જરૃરિયાત ઉભી થઈ છે.

કામગીરી ફરજિયાત કરવી પડે તેમ હોવાથી બ્રિજ વાહનવ્યવહાર માટે બે મહિના માટે બંધ કરવા અંગેનું જાહેરનામું મ્યુનિ. કમિશ્નર બન્છાનિધી પાનીએ બહાર પાડયું છે.આ બે માસના સમય દરમિયાન, અડાજણ, રાંદેર વિસ્તાર તરફથી આવતાં લોકોએ રેલ્વે સ્ટેશન આવવા જવા માટે તાપી નદી પર બનાવવામા આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે ઉધના દરવાજા, ઉધના વિસ્તાર તરફથી રિંગરોડ બ્રિજ પર જે વાહનો આવતાં હતા તે વાહનોએ ખરવરનગર જંકશનથી બીઆરટીએસ કેનાલ રોડનો ઉપયોગ કરી કામરેજ તરફ જવાનું રહેશે.

જો આ સમય દરમિયાન બ્રિજના રીપેરિંગની કામગીરી બાકી હશે તો જાહેરનામું લંબાવાશે. સમય પહેલા રીપેરિંગ પુર્ણ થશે તો જાહેરાત કર્યા વગર ખૂલ્લો મુકી દેવાશે.મ્યુનિ.ના જાહેરનામામાં બ્રિજ રીપેરીંગ માટે બંધ કરવામા આવશે તે સમય દરમિયાન ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે માટે ફ્લાય ઓવર બ્રિજ નીચે બન્ને તરફના રોડ પર કોઈ પણ પ્રકારના વાહનો ઉભા રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. ઉપરાંત બ્રિજના નીચે કે રોડ પર વાહનો લોડીંગ કે અનલોડિંગ કરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.

રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજને બે માસ માટે બંધ કરવાની જાહેરાત કરવાની સાથે જ બુધવારથી રીંગરોડ વિસ્તારની સાથે સાથે સહારા દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધશે અને આ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થશે.જ્યારે પણ આ બ્રિજ બંધ કરવાની વાત સામે આવી ત્યારે લોકોના મન માં પણ અનેક પ્રશ્નો ઉભા થઇ શકે છે તો સાથે આ બે મહિના માટે સુરત ટાફિક પોલીસ માટે પણ મહત્વના બનશે જો ઉચ્ચ અધિકારીઓ અને માણસો અમુક પોઇન્ટ પર ગોઠવા જેથી ટ્રાંફિક હળવી રહશે.

આ પણ વાંચોઃ દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતે સૌપ્રથમ પગલું ભર્યું હતું, 7 વર્ષ પહેલાં 181 હેલ્પલાઈન શરૂ કરીને 9.90 લાખ મહિલાઓને મદદ પૂરી પાડી

આ પણ વાંચોઃ હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજકારણમાં આવવા કરી અપીલ, નરેશ પટેલે આ જવાબ આપ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">