Surat : કોર્પોરેશન દ્વારા ખાડી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સેવા શરૂ કરાતા મોટી રાહત

|

Aug 18, 2022 | 6:01 PM

ત્રણથી ચાર ફુટ પાણી (Water )ભરાયા હોવા છતાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી હાથ ધરવામાં આવતાં ઘરમાં ગોંધાઈ રહેવા માટે મજબુર બનેલા નાગરિકો ખાસ કરીને ગૃહિણીઓ ભારે રાહતની લાગણી અનુભવી હતી.

Surat : કોર્પોરેશન દ્વારા ખાડી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સેવા શરૂ કરાતા મોટી રાહત
door-to-door service in flood-affected areas(File Image )

Follow us on

શહેરના(Surat ) લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠી ખાડી છેલ્લા ત્રણ દિવસથી માત્ર વહીવટી (SMC) તંત્ર જ નહીં પરંતુ નીચાણવાળા વિસ્તારના નાગરિકો(Public ) માટે પણ હેરાનગતિનો ભાગ બની રહી છે. આજે સતત ત્રીજા દિવસે પણ મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ રહેવાને કારણે નોકરી – ધંધા માટે જનારા નાગરિકોને નાછૂટકે મનપા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલા ટ્રેક્ટરોનો સહારો લેવો પડ્યો હતો. ખાસ કરીને પરવટ ગામમાં આવેલા ઋષિ વિહાર અને માધવ બાગ સહિત આસપાસની સોસાયટીના વેપારીઓ – નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નોકરિયાતોની હાલત કફોડી :

જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મંગળવારથી જ મીઠી ખાડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગણતરી કલાકોમાં મીઠી ખાડી ઓવર ફ્લો થઈ જવાને કારણે છેલ્લા ત્રણ દિવસથી સારોલી, કુંભારિયા, પરવટ, ડુંભાલ અને લિંબાયતના કમરૂનગર, બેઠી કોલોની સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે ઘરની બહાર ત્રણથી ચાર ફુટ પાણી ભરાયા હોવા છતાં નોકરી – ધંધા માટે નીકળનાર વર્ગની હાલત સૌથી વધુ દયનીય થવા પામી છે.

કોર્પોરેશને શરૂ કરી ટ્રેકટર સેવા :

ગઈકાલે આ વિસ્તારોમાં પેડલ રિક્ષા અને લારીવાળાઓ દ્વારા ઉઘાડી લૂંટ શરૂ કરવામાં આવી હોવાનો આક્રોશ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવતાં આજે મનપા દ્વારા સવારથી જ આ વિસ્તારોમાં ટ્રેકટરો થકી લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવતાં લોકોએ આંશિક રાહત અનુભવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

લોકો જન્માષ્ટમીનો તહેવાર ખાડીના પાણીમાં ઉજવવા મજબુર :

એક તરફ આખુ સુરત શહેર જન્માષ્ટમીના તહેવારની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ શહેરના લિંબાયત ઝોનમાં આવેલ મીઠી ખાડીના પુરગ્રસ્ત વિસ્તારો આજે પણ ત્રણથી ચાર ફુટ પાણીમાં ગરકાવ રહેવાને કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારોમાંથી પાણીના જળસ્તરમાં ઘટાડો થાય તે માટે છેલ્લા 24 કલાકથી કરવામાં આવી રહેલા પ્રયાસો હાલ વામણાં પુરવાર થઈ રહ્યા છે ત્યારે 50 હજારથી વધુ નાગરિકો નાછૂટકે જન્માષ્ટમીનો તહેવાર ખાડી પુરના પાણીમાં ઉજવવા મજબૂર બનશે.

ડોર ટુ ડોર સેવા શરૂ કરાઈ :

આ સ્થિતિમાં ખાડી પૂરને કારણે પ્રભાવિત વિસ્તારોમાંથી પાણી ઉલેચવા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી પણ ઓછી સાબિત છે. જો કે, આજે લિંબાયત ઝોન દ્વારા બે દિવસ બાદ પુરગ્રસ્ત વિસ્તારો અને સોસાયટીઓમાં ત્રણથી ચાર ફુટ પાણી ભરાયા હોવા છતાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી હાથ ધરવામાં આવતાં ઘરમાં ગોંધાઈ રહેવા માટે મજબુર બનેલા નાગરિકો ખાસ કરીને ગૃહિણીઓ ભારે રાહતની લાગણી અનુભવી હતી. બીજી તરફ આ વિસ્તારોમાં આજે પણ લિંબાયત ઝોન દ્વારા જરૂરિયાત મુજબ પાણીના ટેન્કરો સાથે ફુડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Article