સુરતમાં એસીબીએ બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યકિત વિરુદ્ધ લાંચની ફરિયાદ નોંધી

|

Jan 01, 2022 | 11:44 AM

સુરત એસીબીએ તપાસ કરીને હાલમાં ઈકો સેલના સુખારામ મહિધરપુરાના રાજેશ અને પ્રાઈવેટ વ્યક્તિ વિનોદની સામે 3 લાખની લાંચ માંગવાનો ગુનો નોંધ્યો હતો

સુરતમાં એસીબીએ બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યકિત વિરુદ્ધ લાંચની ફરિયાદ નોંધી
Surat ACB File Case Against Three Person (Representative Image)

Follow us on

સુરત(Surat)એન્ટી કરપ્શન બ્યુરો(Anti corruption bureau)દ્વારા વર્ષ ના છેલ્લા દિવસે પણ ફરિયાદ નોંધી જેમાં બે પોલીસ કોસ્ટબલો અને એક ખાનગી વ્યક્તિ સામે લાંચની ફરીયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં ચાર વર્ષ બાદ ફરિયાદ નોંધાતા અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે.

બે પોલીસ કોન્સ્ટેબલે રૂપિયા 3 લાખની લાંચની માંગણી કરી

સુરત એસીબીના જણાવ્યા પ્રમાણે પોલીસે ગોડાદરા રોડ ઉપર ઉમિયાનગરની પાછળ જે.પી. નગરમાં તા-18-05-2017 ના રોજ એકને પ્રોહીબિશન કેસમાં પકડી પાડયો હતો. આ કેસમાં બુટલેગરની સામે પોલીસે દારૂનો કેસ નોંધ્યો હતો.બીજી તરફ બુટલેગરનું વાહન નહીં બતાવવા તેમજ બુટલેગરના રીમાન્ડ નહીં લેવા માટે થઈને પોલીસે રૂ. 3 લાખની લાંચની માંગણી કરી હતી.

મહિલાએ એસીબીમાં ફરિયાદ કરી

આ બુટલેગરની પત્ની આ રૂપિયા આપવા માંગતી ન હતી. તેમ છતાં પણ હાલમાં ઈકો સેલના કોન્સ્ટેબલ સુખા મથુર જાંબુચા, મહિધરપુરા પોલીસના કોન્સ્ટેબલ રાજેશ શિવરામ લાંબાએ રૂ. 3 લાખ માટે પ્રેશર કર્યું હતુ. આ ઘટના અંગે મહિલાએ એસીબીમાં ફરિયાદ કરી હતી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પોલીસે જે- તે સમયે ટ્રેપ પણ ગોઠવી હતી. અને મહિલા રૂ. 3 લાખ લઈને કોન્સ્ટેબલને મળવા માટે ગઈ હતી. પરંતુ બંનેને એસીબીની ગંધ આવી જતાં બંને ભાગી ગયા હતા.

પોલીસે વિનોદ આહીરની ધરપકડ પણ કરી

તેમજ આ રૂપિયા સ્વીકાર્યા ન હતા.આ લાંચ માંગવામાં બંને કોન્સ્ટેબલના પ્રાઈવેટ વ્યક્તિના નામે વિનોદ ઉદય આહીરે પણ મોટી ભુમિકા ભજવી હતી. આ સમગ્ર વાતચીતના ઓડીયો રેકોર્ડીંગથી માંડીને અન્ય પુરાવાઓ પણ એસીબીની આપવામાં આવ્યા હતા.

આ મામલે એસીબીએ તપાસ કરીને હાલમાં ઈકો સેલના સુખારામ મહિધરપુરાના રાજેશ અને પ્રાઈવેટ વ્યક્તિ વિનોદની સામે 3 લાખની લાંચ માંગવાનો ગુનો નોંધ્યો હતો. આ ત્રણેક પૈકી પોલીસે વિનોદ આહીરની ધરપકડ પણ કરી લીધી હતી.

પુરાવાઓના આધારે કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનું પુરવાર થયું

સાથે સાથે અઠવા પોલીસ મથકના કોન્સ્ટેબલ શોભરાજસિંહ કનકસિંહ ગોહીલ પોલીસ મથકમાં પાસા- તડીપારના કાર્યવાહીના કાગળો તૈયારી કરવાની કામગીરી કરે છે. ગત તા- 7-7-2020ના રોજ પોલીસ કોન્સ્ટેબલ શોભરાજસિંહે એક આરોપીને પાસા-તડીપાર કાર્યવાહી કરવા માટે લાંચ પેટે રૂ. 15 હજાર માંગ્યા હતા.

નાનપુરામાં સ્નેહમિલન ગાર્ડન પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતુ જો, કે જે- તે સમયે આ ટ્રેપ ફેઈલ ગઈ હતી.આખરે ઈન્કવાયરીમાં રેકોર્ડિંગ સહિતના પુરાવાઓના આધારે કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનું પુરવાર થયું છે.

આ પણ વાંચો :  Sabarkantha : પેપર લીક કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાશે

આ પણ વાંચો :  Surat : ભાજપના “નદી મહોત્સવ” સામે કોંગ્રેસ ઉજવશે “ખાડી મહોત્સવ”

 

Published On - 11:23 am, Sat, 1 January 22

Next Article