Surat ચૌટા બજારમાં દબાણના દૂષણ પાછળ દુકાનદારો જ જવાબદાર હોવા જેવી સ્થિતિ, દુકાનદારો દબાણકર્તાઓ પાસેથી ભાડુ વસુલતા હોવાનો આક્ષેપ

|

Mar 11, 2022 | 2:54 PM

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચૌટા બજારમાં કાયમી દબાણ દુર કરવા માટે મનપાના વહીવટી તંત્ર કરતાં નેતાઓની ઈચ્છા શક્તિનો અભાવ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે.

Surat ચૌટા બજારમાં દબાણના દૂષણ પાછળ દુકાનદારો જ જવાબદાર હોવા જેવી સ્થિતિ,  દુકાનદારો દબાણકર્તાઓ પાસેથી ભાડુ વસુલતા હોવાનો આક્ષેપ
Surat Chauta market

Follow us on

સુરત (Surat) શહેરના હાર્દ સમા ચૌટા બજાર (Chauta bazar)માં દબાણના કાયમી વિવાદમાં હવે સ્થાનિકો અને વેપારીઓ (Merchants)પણ સામ – સામે આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. દુકાનદારો દ્વારા પોતાની દુકાન બહાર દબાણ કરનારાઓ પાસેથી મહિનાનું ભાડુ વસુલવા સાથે સંરક્ષણ પણ પુરૂં પાડી રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠી છે.

છેલ્લા ઘણા વર્ષોથી સુરતના ચૌટા બજારમાં દબાણની કાયમી સમસ્યાથી સ્થાનિકોનો સંયમ હવે જવાબ આપી રહ્યો છે. હાલમાં જ સ્થાનિકો દ્વારા ચૌટા બજારની વચ્ચોવચ્ચ ગાડીઓ પાર્ક કરીને વિરોધ વ્યક્ત કરાયો હતો. જેને લઇને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસેથી સ્થિતિ રાબેતા મુજબ થઈ જતાં હવે સ્થાનિકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચી ગયો છે.

ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી

સ્થાનિકોના આક્ષેપ મુજબ ચૌટા બજારમાં દબાણની દુર્દશા માટે મહદઅંશે વેપારીઓ પણ જવાબદાર છે. દુકાનોની બહાર બંગડી – ચાંદલા જેવી કટલરી વસ્તુઓ વેચનારા ફેરિયાઓ પાસેથી આ દુકાનદારો મહિનાનું 15થી 40 હજાર સુધીનું ભાડુ વસુલ કરતાં હોય છે અને આટલું ઓછું હોય તેમ રાતના માલ – સામાન દુકાનમાં મુકવાનો પણ અલગથી ચાર્જ લેતા હોય છે. જેને પગલે દુકાનદારોને મહિને દહાડે કોઈપણ પ્રકારની મહેનત વગર જ 20થી 50 હજાર રૂપિયા સુધીની આવકને પગલે દબાણનું દૂષણ બેફામ બનવા પામ્યું છે.

નેતાઓને માત્ર વોટબેંકની ચિંતા

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચૌટા બજારમાં કાયમી દબાણ દુર કરવા માટે મનપાના વહીવટી તંત્ર કરતાં નેતાઓની ઈચ્છા શક્તિનો અભાવ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. વોટ બેંકની લાલચમાં સ્થાનિક નેતાઓ દ્વારા ચૌટા બજારમાં દબાણ મુદ્દે નરોવા કુંજરોવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. અગાઉ મનપાના અધિકારીઓને ચૌટા બજારમાં દોડાવી – દોડાવીને માથાભારે દબાણકારો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આ મુદ્દે સ્થાનિક નેતાગીરી કોઈપણ પ્રકારની સખ્ત કાર્યવાહી કરવાને બદલે પાણીમાં બેસી ગયું હતું અને તેને પગલે જ હવે આ સ્થિતિ ઉભી થઇ છે.

આ પણ વાંચો-

PM Narendra Modi Gujarat Visit Live: PM મોદીનો મેગા રોડ શો, એરપોર્ટથી કમલમ સુધીના રોડ શોમાં 4 લાખથી વધુ લોકો ઉમટ્યા, કેસરી ટોપીમાં સજ્જ કાર્યકરોએ PM મોદીને દિલથી આવકાર્યા

આ પણ વાંચો-

PM MODI નો ભવ્ય રોડ-શૉ પૂર્ણ, PM MODI ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા, કમલમમાં ધારાસભ્યો-મંત્રીઓ-નેતાઓ સહિત 432 આગેવાનોની ઉપસ્થિત

 

Next Article