Surat: શહેરના અઠવામાં સૌથી વધુ 165 હાઈ રિસ્ક એરિયા, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 500ની નજીક પહોંચી

રોકેટગતિએ વધી રહેલા કેસોને પગલે માત્ર સુરત શહેરમાં જ હાલ માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનની સંખ્યા 500ની નજીક પહોંચી ચુકી છે.

Surat: શહેરના અઠવામાં સૌથી વધુ 165 હાઈ રિસ્ક એરિયા, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 500ની નજીક પહોંચી
Micro Containment Zone (File Image)
| Edited By: | Updated on: Jan 11, 2022 | 5:12 PM

સુરત (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ (Corona Virus) કેસોની સાથે સાથે હવે માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન (Micro Containment Zone)ની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. રોકેટગતિએ વધી રહેલા કેસોને પગલે માત્ર સુરત શહેરમાં જ હાલ માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનની સંખ્યા 500ની નજીક પહોંચી ચુકી છે.

એક તબક્કે સુરત શહેરમાંથી કોરોના મહામારીએ વિદાય લઈ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. અલબત્ત, ઓમીક્રોન વેરિયેન્ટ (Omicron)ની શહેરમાં એન્ટ્રી કોરોના સંક્રમણના ત્રીજા તબક્કાની લહેર માટે નિમિત્ત બની ચુકી હોય તેવું ફલિત થઈ રહ્યું છે. સુરત શહેરમાં હવે મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હાઈરિસ્ક એરિયા સાથે ચેતવણીના બોર્ડ મુકવાની ફરજ પડી રહી છે.

બીજા તબક્કાની મહામારી દરમ્યાન શહેરના વિવિધ ઝોન વિસ્તારોના માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનમાં પ્રવેશબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે તેવા દ્રશ્યો પુનઃ જોવા મળી રહ્યા છે. શહેરના અઠવા અને રાંદેર ઝોન તો કોરોના મહામારીના હોટ સ્પોટ સાબિત થઈ ચુક્યા છે.

સુરત શહેરમાં 1લી જાન્યુઆરીએ 264 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન નોંધાયા હતા, જે હવે વધીને 490 પર પહોંચી ચુક્યા છે. જેને પગલે વધુ એક વખત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રસ્તાઓ પર સાવચેતીના ભાગરૂપે બેરિકેડ મુકીને હાઈ રિસ્ક એરિયાની ચેતવણીના બેનરો લગાવવામાં આવી રહ્યા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સુરત શહેરમાં હાલ સેન્ટ્રલ ઝોનમાં 27, વરાછા એ ઝોનમાં 7, વરાછા બી ઝોનમાં 16, રાંદેર ઝોનમાં 125, કતારગામ ઝોનમાં 32, ઉધના એ ઝોનમાં 19, ઉધના બી ઝોનમાં 10 અને લિંબાયતમાં 89 માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અઠવા ઝોનમાં આ આંકડો સૌધી વધુ 165 નોંધાવા પામ્યો છે.

10 જાન્યુઆરીએ રાજ્યમાં 6,097 કેસ નોંધાયા

ગુજરાતમાં 10 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 6,097 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના લીધે બે વ્યકિતના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના નવા 25 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 32,469 થઇ છે. જેના પગલે કોર્પોરેશને ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં દરરોજ કોરોનાના 14,000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Surat: પતંગ રસિક અજય રાણાએ જાગૃતિ ફેલાવવા બનાવી અનોખી પતંગ, ‘ઓમિક્રોન’ અને ‘STOP રેપ’ થીમ પર બનાવી પતંગો

આ પણ વાંચો: Surat: 790 સિનિયર સિટીઝન સહિત 1,465ને બુસ્ટર ડોઝ, શહેરમાં બપોર સુધી કોરોનાના અધધ 810 કેસ નોંધાયા