પક્ષપલટો યથાવત : ઉધનામાં હજારથી વધુ કાર્યકરોએ પહેરી ‘આપ’ની ટોપી

|

Aug 29, 2022 | 4:30 PM

દિલ્લી (Delhi ) અને પંજાબ સરકારમાં જે દેખાયું છે આમ લોકો માટે શિક્ષણ,આરોગ્ય સહિત જે સુવિધાઓ અને પરિવર્તનો આવ્યા છે તે પરિવર્તન ગુજરાતમાં પણ આવશે.

પક્ષપલટો યથાવત : ઉધનામાં હજારથી વધુ કાર્યકરોએ પહેરી આપની ટોપી
Defection continues: Over a thousand workers wear AAP cap in Udhana

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક બાજુ જુદી જુદી રાજકીય (Political ) પાર્ટીઓ મતદારોને અલગ અલગ પ્રકારની સ્કીમો (Scheme ) અને વાયદાઓ આપીને લુભાવવાના પ્રયાસો કરી રહી છે. તેમજ રાજકીય સમીકરણો પણ બદલાતા જોવા મળી રહયા છે. વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં શહેરમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ભાજપાથી નારાજ થયેલા 1000 થી વધુ કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાય ગયા હતા.

એટલુંજ નહીં આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે વિધિવત પ્રવેશ સમારંભ યોજાયો હતો.એક સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આપ દ્વારા મોટું પરિવર્તન લાવવાના એંધાણ જોવા મળી રહ્યા છે.જયારે આ બદલાવને લઈને ભાજપની ચિંતા વધી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

ઉધના વિધાનસભા ખાતે ગતરોજ આમ આદમી પાર્ટી પ્રવેશ સમારંભ યોજાયો હતો. જેમાં મોટી સઁખ્યામા યુવાઓ તેમજ મહિલાઓ પણ હાજર રહયા હતા.આ કાર્યક્રમાં ખાસ હાજર રહેલા ડો.ઇ.કે.પાટીલ (નવસારી લોકસભા “આપ” પ્રમુખ ) એ જણાવ્યું હતું કે ભાજપના સુરત શહેરના ભાષાભાષી સેલના યુવા મોરચાના કન્વીર જયસિંહ રાજપૂત અને તેમની ટીમ સહીત 1000 જેટલા લોકો ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભાજપથી નારાજગી હોવાથી તેઓએ આ નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે. કાર્યક્રમમાં હાજર અગ્રણીઓનું કહેવું હતું કહ્યું હતું કે તેઓ છેલ્લા 9 વર્ષથી  ભાજપમાં હતા. બીજેપીથી જે આશા હતી તે 9 વર્ષની મહેનતમાં પુરી થઇ ના શકી. આમ જનતા, ગરીબો માટે જે કરવાના વાયદાઓ કરવામાં આવ્યા હતા તેવું કંઈજ થયું નથી. લોકો વિશ્વાસભંગ થયો હોય તેવી લાગણી અનુભવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમણે એવો દાવો પણ કર્યો છે કે,  કેજરીવાલ, આમ આદમી પાર્ટીમાં એક આશા દેખાઈ રહી છે. દિલ્લી અને પંજાબ સરકાર દ્વારા જે સારા કામ કરાયા છે તેના આધારે લોકોને લાગી રહ્યું છે કે, આમ લોકો માટે શિક્ષણ, આરોગ્ય સહિત જે સુવિધાઓ અને પરિવર્તનો આવ્યા છે તે પરિવર્તન ગુજરાતમાં પણ આવશે અને લોકોને રાહત મેળશે. આ પરિવર્તનો જોઈને જ આદમી પાર્ટીમાં જોડાયા છે.

Next Article