Surat : ગોડાદરામાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર તોડફોડ, હજી વિવાદ વકરે તેવા એંધાણ

પ્રદર્શનકારીઓ દ્વારા બેનર ફાડી ને સળગાવી દેવામાં આવ્યું હતું જેના કારણે થોડા સમય માટે અહીં દોડધામ થઇ ગઇ હતી

Surat : ગોડાદરામાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર તોડફોડ, હજી વિવાદ વકરે તેવા એંધાણ
Aam Aadmi Party office vandalized in Godadara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 9:05 AM

દિલ્હી(Delhi ) ખાતે આમ આદમી પાર્ટીના(AAP) મંત્રી દ્વારા હિન્દુ દેવી દેવતાઓ માટે નિવેદન કરવામાં આવ્યું હતું. જોકે તે બાદ તેના પડઘા હજી પણ સુરતમાં(Surat ) પડી રહ્યા છે. સુરતમાં છેલ્લા બે દિવસથી આમ આદમી પાર્ટી વિરોધી બેનર હોર્ડિંગ્સ લાગ્યા બાદ રવિવારે ગોડાદરા વિસ્તારમાં હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આપના નેતાઓ સામે ઉગ્ર પ્રદર્શન બાદ અચાનક કેટલાક લોકોએ આમ આદમી પાર્ટી ની ઓફિસ સામે દેખાવો કરીને તોડફોડ કરી હતી, જેના કારણે મામલો વધુ ગરમાયો છે.

આમ આદમી પાર્ટીના મંત્રી દ્વારા દિલ્હી ખાતેના એક સંમેલનમાં હિન્દુ દેવી દેવતાઓ અંગે કરેલી ટિપ્પણી કરવામાં આવી હતી. જોકે સામી ચુંટણીએ આ નિવેદન આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. આપ ના વધતા જતા પ્રભાવ વચ્ચે આ ધાર્મિક ટિપ્પણીથી અનેક લોકોની લાગણી ને ઠેસ પહોંચી છે. તો બીજી તરફ છેલ્લા બે દિવસથી સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં કેજરીવાલ વિરોધી બેનર જોવા મળ્યા હતા.

આ પોસ્ટરોમાં કેજરીવાલ અને આપ પાર્ટી હિન્દુ વિરોધી પાર્ટી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિવાદોની વચ્ચે સુરતના ગોડાદરા વિસ્તારમાં કેટલાક હિન્દુ સંગઠન દ્વારા આપના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપ ના મંત્રીના નિવેદનનો ઉગ્ર રીતે વિરોધ કરવામા આવ્યો હતો. ભગવાનને માનતા નથી તો લોકો પાસે વોટ કેવી રીતે માગો છો, આ ઉપરાંત અમારી આસ્થા સાથે રમત રમવામાં આવે છે તે સહન નહીં કરવામા આવે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

તમે 30 વર્ષના છો અને 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવા માગો છો, બસ કરો આ એક કામ
કાવ્યા મારનને લાગ્યો સૌથી મોટો ઝટકો, એક જ ઝાટકે 4000 કરોડ સ્વાહા
જે કામ સુનીલ ગાવસ્કર 30 વર્ષ સુધી ન કરી શક્યા તે હવે અજિંક્ય રહાણે કરશે
અમદાવાદના 3 સૌથી પોશ વિસ્તારો કયા છે?
દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવુ જોઈએ કે નહીં? જાણો વૈજ્ઞાનિક તથ્ય
લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 3 બાબતોનું રાખો ધ્યાન

ત્યારબાદ અચાનક જ ગોડાદરાના માધવ શોપિંગ સેન્ટરમાં આવેલા આમ આદમી પાર્ટી ના કાર્યાલય ના બેનરને તોડીને ગુસ્સો કાઢવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓ દ્વારા બેનર ફાડી ને સળગાવી દેવામાં આવ્યું હતું જેના કારણે થોડા સમય માટે અહીં દોડધામ થઇ ગઇ હતી. આ ઉગ્ર વિરોધના કારણે આસપાસના વિસ્તારોમાં અફરા તફરીનો માહોલ થઇ ગયો હતો. આ વિરોધ બાદ આગામી દિવસોમાં હવે આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
g clip-path="url(#clip0_868_265)">