એક તરફ પર્યાવરણને બચાવવા સરકાર અભિયાન ચલાવી રહી છે. વધુ વૃક્ષ વાવોના સંદેશાઓ લોકોને આપવામાં આવી રહ્યા છે. ત્યાં વિકાસના ભોગે પર્યાવરણનું નિકંદન પણ કરવામાં આવી રહ્યું છે. સુરતના કામરેજ રોડના ચોકડી વિસ્તારથી રસ્તો પહોળો કરવા માટે પીડબ્લ્યુડી વિભાગે 91 વૃક્ષોને કાપવાની દરખાસ્ત રજૂ કરી હતી. જેને સામાજિક વનીકરણ વિભાગે માત્ર નવા છોડ વાવવાની શરતે મંજૂરી આપતા 25 વર્ષ જુના વિવિધ પ્રજાતિના વૃક્ષોની વિકાસના નામે બલી ચડાવી દેવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વનીકરણ અધિકારીના જણાવ્યા પ્રમાણે બે વખત આવેલી દરખાસ્ત રિવિઝન થતાં રોડ પહોળો કરવાની કામગીરીમાં નડતરરૂપ 91 વૃક્ષોને હટાવી લેવાની મંજૂરી અપાઈ હતી. આ વૃક્ષોમાં વડ, પીપળો, પેલટ્રોફોર્મ સહિતની વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થતો હતો. એજન્સીને નવા છોડ વાવવાની સૂચના પણ અપાઈ હતી. જો કે 25 વર્ષ જુના 91 વૃક્ષો કપાઈ જતાં સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓની લાગણી દુભાઈ છે. અમદાવાદ જેવા અન્ય શહેરોમાં વૈજ્ઞાનિક ઢબે ફરી રિપ્લેન્ટેશન થાય તો પછી આ વૃક્ષોનું પુનઃસ્થાપન કેમ ન કરવામાં આવ્યું તેવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 8:25 pm, Sat, 12 September 20