VIDEO: સુરતમાં ઉનાળાની શરૂઆતમાં જ SMCનો પાણીકાપ, જાણો ક્યા વિસ્તારમાં નહીં મળે પાણી
સુરતીઓએ ઉનાળાની શરૂઆતમાં જ પાણીકાપનો સામનો કરવો પડશે. વરાછા વિસ્તારમાં જૂની પાણીની લાઇને બદલીને નવી પાણીની લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાથી આગામી 27 ફેબ્રુઆરીથી માંડીને 29 ફેબ્રુઆરી સુધી પાણી નહીં મળે. અને અડધું સુરત તરસ્યું રહેશે. 28મી તારીખે કતારગામ, ખટોદરા, અઠવા, ઉધના સહિતના 10 કરતા વધુ વિસ્તારોમાં પાણી નહીં મળે, તો 29મીએ અડધા સુરતમાં ઓછા […]
Follow us on
સુરતીઓએ ઉનાળાની શરૂઆતમાં જ પાણીકાપનો સામનો કરવો પડશે. વરાછા વિસ્તારમાં જૂની પાણીની લાઇને બદલીને નવી પાણીની લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાથી આગામી 27 ફેબ્રુઆરીથી માંડીને 29 ફેબ્રુઆરી સુધી પાણી નહીં મળે. અને અડધું સુરત તરસ્યું રહેશે. 28મી તારીખે કતારગામ, ખટોદરા, અઠવા, ઉધના સહિતના 10 કરતા વધુ વિસ્તારોમાં પાણી નહીં મળે, તો 29મીએ અડધા સુરતમાં ઓછા પ્રેશરથી પાણી મળશે. જોકે વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી સુરતીઓની મુશ્કેલીમાં વધારો થશે તેમાં કોઇ બેમત નથી.