વ્યક્તિ ધારે તો શું નથી કરી શકતું. માનસિક (Mentally )અને શારીરિક (Physically )રીતે દિવ્યાંગ(Disabled ) હોવા છતાં સુરતની રબર ગર્લએ આ વાત ખરા અર્થમાં સાબિત કરી બતાવી છે. સુરતની દિવ્યાંગ રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાને યોગમાં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.
યોગ થકી દિવ્ય અનુભૂતિ કરાવવામાં સફળ પુરવાર થયેલી સુરતની રબર ગર્લ તરીકે જાણીતી દિવ્યાંગ વિદ્યાર્થીની અન્વી ઝાંઝરૂકિયાને કેન્દ્રના સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ ડિસેબલ એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સુરતની આ રબર ગર્લને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
સુરતમાં નરથાણા દાંડી રોડ ખાતે આવેલી સંસ્કારકુંજ જ્ઞાનપીઠમાં અભ્યાસ કરી રહેલી અન્વી ઝાંઝરૂકિયાની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. દર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને યોજવામાં આવતા આ એવોર્ડ માટે આ વર્ષે ક્રિયેટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલિટી કેટેગરીમાં સુરતની અન્વી ઝાંઝરુકિયાને આ એવોર્ડ આપવામાં આવનાર છે.
આગામી તરીકે 1 થી 5 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હી ખાતે એક સમારંભમાં આ એવોર્ડ અન્વીને આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્વી છેલ્લા ત્રણ વર્ષથી કોચ નમ્રતા વર્મી પાસે તેની શાળામાં જ યોગ શીખે છે, તેને જન્મજાત અનેક પ્રકારની માનસિક અને શારીરિક બીમારીઓ છે, જેનો વિશ્વમાં કોઈ ઈલાજ નથી.
પણ અન્વીએ પોતાની શારીરિક અને માનસિક મર્યાદાઓને અવગણીને અન્વીએ નેશનલ લેવલ પર યોગા માટે સિદ્ધિ હાંસિલ કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી છે. અન્વીએ અનેક જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લીધો છે. અને તેમાં વિજેતા થઇ છે. આ દરેક યોગ સ્પર્ધામાં દિવ્યાંગો માટે અલગ કેટેગરી હોતી નથી. અન્વી દિવ્યાંગ હોવા છતાં સામાન્ય બાળકો સાથે સ્પર્ધા કરવાની થાય છે છતાં પણ તેને વિજેતા બનીને સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
દરેક સ્પર્ધામાં દિવ્યાંગો માટે અલગ કેટેગરી રાખવામાં માટે અન્વીએ ગયા મહિને જ મુખ્યમંત્રી અને રાજ્યપાલને રજુઆત કરી હતી. અને તે સંદર્ભે રાજ્યપાલ દ્વારા પણ રમત મંત્રાલયને આ બાબતે વિચારણા કરવા પત્ર લખ્યો છે. અન્વી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાતના પૂર્વ સચિવ ડો.કે.આર.ઝાંઝરુકિયાની પૌત્રી છે. અને તેના માતા પિતા શિક્ષણ સમિતિમાં ફરજ બજાવે છે.
આ પણ વાંચો : Surat: બેલજીયમની અર્થવ્યવસ્થામાં ડાયમંડ ઉદ્યોગનો મોટો ફાળો: બેલજીયમ રાજદૂત
આ પણ વાંચો : Surat: દિવાળી પહેલા સુરત રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યું, કોર્પોરેશન પણ રોશની પાછળ કરશે 20 લાખ સુધીનો ખર્ચ