Surat: દુષ્કર્મ પીડિત માસુમ બાળકીઓને ન્યાય અપાવવામાં પોતાનો જીવ રેડનાર પોલીસ અધિકારીઓનું કરાયુ સન્માન

બાળકીઓને પીંખી નાખનાર 4 આરોપીને, છેલ્લા 48 દિવસમાં સુરત કોર્ટે ફાંસી અને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. સુરતના પોલીસ કમિશનરે ગણતરીના સમયમાં જ આરોપીઓને ઝડપી પાડીને તેમને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પોલીસ અધિકારીઓની કામગીરીને બિરદાવી છે.

Surat:  દુષ્કર્મ પીડિત માસુમ બાળકીઓને ન્યાય અપાવવામાં પોતાનો જીવ રેડનાર પોલીસ અધિકારીઓનું કરાયુ સન્માન
Police officers honored
| Edited By: | Updated on: Dec 30, 2021 | 5:41 PM

સુરત પોલીસે (Surat police) દિવસ રાત કરેલી તપાસની મહેનત અંતે રંગ લાવી છે. સુરત કોર્ટે (Surat Court) છેલ્લા 48 દિવસમાં માસુમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર હવસખોરોને ફાંસી અને બેને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. આરોપીઓને (accused) આ સજા અપાવવા માટે સુરતના કેટલાક પોલીસ કર્મચારીઓ (Police personnel) તપાસમાં જોતરાયા હતા. જેના કારણે મીડિયા અને લોકો સમક્ષ આ જાણકારી પહોંચી હતી. ત્યારે આ પોલીસ કર્મચારીઓનું પોલીસ કમિશનર દ્વારા સન્માન કરવામાં આવ્યું

પોલીસ કર્મીઓની કામગીરી બિરદાવી

સુરતના પોલીસ કમિશનરે પોતાના પોલીસ અધિકારીઓની કામગીરીને બિરદાવતા કહ્યુ કે સુરતમાં કોર્ટે 48 દિવસમાં બાળકીઓને પીંખનાર ચાર હવસખોરોને આકરી સજા ફટકારી છે. કોર્ટે આ સજા દ્વારા સમાજમાં રહેલા આવા હેવાનો માટે એક દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે માસુમોને ન્યાય અપાવવામાં પાયાની ભૂમિકા ભજવનાર પોલીસ અધિકારીઓની કામગીરી વિશે જણાવતા કહ્યુ કે આરોપીને સજા સુધી પહોંચાડવામાં પોલીસ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આરોપીઓને સજા સુધી પહોંચાડવામાં જરૂરી પુરાવામાં થોડી પણ કામગીરી આમ તેમ ચાલતી નથી.

આરોપીઓને કેટલા દિવસમાં શું સજા ફટકારાઇ ?

11 નવેમ્બરઃ આરોપીને 29 દિવસમાં છેલ્લા શ્વાસ સુધીની સજા

7 ડિસેમ્બરઃ 10 દિવસમાં જ સુરતમાં દુષ્કર્મના વધુ એક આરોપીને ફાંસીની સજા

17 ડિસેમ્બરઃ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરનારને ફાંસી

29 ડિસેમ્બરઃ સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી હત્યા કરનારને આજીવન કેદ

કોનું કોનું સન્માન કરાયુ ?

સુરત પોલીસ કમિશનરે પાંડેસરા પોલીસ સ્ટેશનના PI એ. પી. ચૌધરી અને તેમની ટીમ, સચિન જીઆઇડીસીના PI જે. પી. જાડેજાની ટીમનું તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સન્માન કર્યુ, તમામ કેસમાં સુપરવિઝન કરતા એસીપી જે કે પંડ્યાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે છેલ્લો જે ચુકાદો આવ્યો તેમાં હજીરા પોલીસના જવાનોની કામગીરી બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યુ.

સન્માન મેળવ્યા પછી પણ પોલીસ અધિકારીઓના ચહેરા પર સન્માન કરતા વધુ માસુમોને ન્યાય મળ્યો તેનો સંતોષ જોવા મળી રહ્યો હતો. સુરત પોલીસે પોલીસ અધિકારીઓની કામગીરી બિરદાવતા સુરત પોલીસની કામગીરી બાબતે ગૌરવ હોવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ Surat: 31 ડિસેમ્બરને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામુ, નિયમ તોડશે તેની ખેર નહીં

આ પણ વાંચોઃ SURAT : જીએસટીના દરના વિરોધમાં કાપડ માર્કેટની સિત્તેર હજારથી વધુ દુકાનો બંધમાં જોડાઇ

 

Published On - 5:40 pm, Thu, 30 December 21