Surat: ઓનલાઈન યોજાવા જઈ રહ્યા છે સમૂહ લગ્ન, કરિયાવરમાં મળશે આટલી રકમ

|

May 02, 2021 | 7:21 PM

ગુજરાત વિકાસ સમિતિ કોરોનાકાળમાં ઓનલાઈન 20માં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજી 110 પરિવારોનું આશાનું કિરણ બની છે. જેનું સી.આર પાટીલની ઓફિસથી મુખ્ય શુભારંભ કાર્યક્રમ સાથે કરિયાવર વિતરણ સ્થળ અને દરેક લગ્ન સ્થળ પરથી એક સાથે જીવંત પ્રસારણ કરવામાં આવશે.

Surat: ઓનલાઈન યોજાવા જઈ રહ્યા છે સમૂહ લગ્ન, કરિયાવરમાં મળશે આટલી રકમ
ફાઇલ ફોટો

Follow us on

ગુજરાત વિકાસ સમિતિ કોરોનાકાળમાં ઓનલાઈન 20માં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજી 110 પરિવારોનું આશાનું કિરણ બની છે. જેનું સી.આર પાટીલની ઓફિસથી મુખ્ય શુભારંભ કાર્યક્રમ સાથે કરિયાવર વિતરણ સ્થળ અને દરેક લગ્ન સ્થળ પરથી એક સાથે જીવંત પ્રસારણ કરવામાં આવશે.

 

આ ઓનલાઈન સર્વજ્ઞાતિ સમૂહલગ્ન રવિવારે યોજાશે. જેના માટે સુરતના વિવિધ વિસ્તારમાં 45 અને 10 લગ્ન મંડપ સુરત વિસ્તાર બહાર રહેશે. આ તમામ મંડપને ડીજીટલી જોડીને અનોખા સમૂહલગ્ન થશે. આ કાર્યક્રમ દરમિયાન 55 યુગલો પ્રભુતામાં પગલા માંડશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

સંસ્થાના આગેવાન પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં પરિવારોની સ્થિતિ બહુ ખરાબ થઈ છે, ત્યારે સંસ્થા આશાનું કિરણ બની છે. સંસ્થાએ દાતાઓ પાસેથી 55 લાખનું દાન મેળવીને આયોજન કર્યું છે અને 110 પરિવારોના 2.5થી 3 કરોડ રૂપિયાનો ખર્ચ બચાવાનું કામ પણ કર્યું છે.

 

ગુજરાત વિકાસ સમિતિ 20 વર્ષથી સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરે છે. સુરતમાં સર્વજ્ઞાતિ સમુહલગ્નના બીજ અમારી સંસ્થાએ રોપ્યા આજે 22થી વધુ અન્ય સંસ્થાઓ સુરતમાં સર્વજ્ઞાતિ સમુહલગ્ન કરતી થઈ છે, તેમાં 1000થી વધુ દીકરીઓના લગ્ન સર્વજ્ઞાતિ સમુહલગ્નના માધ્યમથી સુરતમાં દર વર્ષે થાય છે તે ગર્વની વાત છે.

 

વધુમાં સંસ્થાના દિલીપભાઈ વિઠ્ઠાણીએ ઉમેર્યું હતું કે ગુજરાત વિકાસ સમિતિ દ્વારા 20 વર્ષમાં 700થી વધુ દીકરીઓ સાસરે વળાવી છે અને એમાં 200થી વધુ દીકરી માતા-પિતા વગરની છે. કોરોનાકાળ માનવ ઈતિહાસનો સૌથી ખરાબ સમય હશે, માટે સંસ્થાએ પણ નિર્ણય કર્યો છે કે કોઈ પણ યુગલના ઘરે કોરોના દર્દી હશે કે મૃત્યુ થયું હશે તો તે યુગલ આગળ-પાછળ પણ લગ્ન કરી શકશે અને તો પણ સંસ્થા કરિયાવર આપશે.

 

દરેક યુગલને 70થી 80 હજારના કરિયાવર સાથે કુંવરબાઈનું મામેરૂ તથા સાતફેરા સમુહલગ્ન યોજનાની રકમ મળીને 1 લાખની સહાય અપાઈ છે. કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે મહેમાન અને યુગલો એમ બધાને પીડીએફ કંકોત્રી આપી છે, તેમજ કરિયાવરમાં સેનિટાઈઝર અને માસ્ક પણ આપ્યા છે અને 20 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ 55 લગ્ન પણ થયા છે સાથે સાથે આ વર્ષે સૌથી વધુ 116 વસ્તુ કરિયાવર પેટે પણ આપી છે, આ અમારી કલ્પના બારની વાત છે.

 

આ પણ વાંચો: West Bengal Election Result 2021 : પશ્ચિમ બંગાળમાં પાર્ટીની જીતના સંકેત બાદ મમતાની અપીલ, કોરોનાથી લડવું પ્રાથમિકતા

Next Article