VIDEO: સુરત અગ્નિકાંડમાં માસૂમ 22 મૃતકના પરિવારો દ્વારા અસ્થિ કળશ રેલીનું આયોજન
સુરતના તક્ષશીલા અગ્નિકાંડને એક મહિના કરતા પણ વધુ સમય પસાર થઈ ચૂક્યો છે. પરંતુ 22 માસૂમના મોતનો ન્યાય પરિવારને મળ્યો નથી અને એટલે જ 22 પરિવારો આજે પણ ન્યાય માગી રહ્યા છે. અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 મૃતકના પરિવારોએ અસ્થિ કળશ રેલીનું આયોજન કર્યું છે. આવતીકાલે બપોરે બે વાગ્યા બાદ સુરતના રસ્તાઓ પર આ રેલી નીકળશે. […]
સુરતના તક્ષશીલા અગ્નિકાંડને એક મહિના કરતા પણ વધુ સમય પસાર થઈ ચૂક્યો છે. પરંતુ 22 માસૂમના મોતનો ન્યાય પરિવારને મળ્યો નથી અને એટલે જ 22 પરિવારો આજે પણ ન્યાય માગી રહ્યા છે. અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 મૃતકના પરિવારોએ અસ્થિ કળશ રેલીનું આયોજન કર્યું છે. આવતીકાલે બપોરે બે વાગ્યા બાદ સુરતના રસ્તાઓ પર આ રેલી નીકળશે.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી એચ.ડી કુમારાસ્વામી અમેરિકા અને કર્ણાટકમાં સરકાર ડગમગી, 11 MLAના રાજીનામા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જ્યાં ગોઝારી ઘટના બની હતી તે જ તક્ષશીલા આર્કેડથી આ રેલી નીકળશે અને ત્યારબાદ યોગી ચોક, કિરણ ચોક, રચના સર્કલ, મીની બજાર, હીરાબાગ ફરીને પાછી તક્ષશીલા આર્કેડ પહોંચશે. સોશિયલ મીડિયા પર આ રેલી માટે મેસેજ વહેતા કરી દેવામાં આવ્યા છે. મૃતકના પરિવારની એક જ માગ છે કે તેમને ન્યાય મળે.
[yop_poll id=”1″]