પાકવીમા પર કૉંગ્રેસે કરેલા આક્ષેપોને કૃષિપ્રધાન આરસી ફળદુએ ફગાવી દીધા. કૃષિપ્રધાને દાવો કર્યો કે સરકાર વીમા કંપનીઓને છાવરતી નથી. સાથે જ તેમણે કહ્યું વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ગઈકાલે પરેશ ધાનાણીએ ગૃહમાં ટેબ્લેટને લઈ જે આક્ષેપ કર્યા હતા તે આક્ષેપ તેઓ પુરવાર નહોતા કરી શક્યા. જેથી મુખ્યપ્રધાને અધ્યક્ષને અપીલ કરીને તેમને એક દિવસનો સમય અપાવ્યો હતો. આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જવાબ આપવાનો હતો. પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા. જેથી તેમને બચાવવા માટે કૉંગ્રેસે વૉકઆઉટ કર્યું હતું.
આ પણ વાંચોઃ રાજ્યમાંથી કુપોષણ આ પ્રકારે દૂર થશે? બાળકોને છેલ્લા કેટલાક દિવસોથી મળે છે સડેલું ભોજન
વિપક્ષે આજે વિધાનસભામાં પાક વીમા મુદ્દે સરકારને સાણસામાં લેવાની કોશિશ કરી. વિપક્ષનો સીધો આક્ષેપ છે કે સરકારે ખેડૂતોને પાક વીમાનું વળતર આપવા કોઇ કાર્યવાહી કરી નથી. સામે સરકારે સ્પષ્ટતા કરી છે કે ગત વર્ષનું જે આ વર્ષે પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે તે દિશામાં કામગીરી થઇ રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો