
ગુજરાતના પ્રભાસ પાટણ સ્થિત આવેલ સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ છે. આ મંદિર કેટલુ પૌરાણિક છે તેનો અંદાજો લગાવવો ઘણો મુશ્કેલ છે. સૌથી પહેલા આ મંદિર કોણે બંધાવ્યુ તેના વિશે પણ ચોક્કસ માહિતી મળતી નથી. અલગ અલગ સમયગાળામાં તેનો ઉલ્લેખ મળી આવે છે. સ્કંદ પુરાણ, શિવ પુરાણ અને શ્રીમદ્દ ભાગવત પુરાણમાં તેનો ઉલ્લેખ મળે છે. જ્યારે કાલિદાસની પ્રખ્યાત નાટક અભિજ્ઞાનશાકુંતલમ નાટકમાં પણ તેની વાત કરાઈ છે. માન્યતા એવી છે કે ચંદ્રદેવને રાજા દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપમાંથી મુક્ત થયા બાદ તેમણે આ મંદિરને બંધાવ્યુ હતુ. એક માન્યતા એવી પણ છે કે ચંદ્ર નો અર્થ સોમ થાય છે, આથી જ તેનુ નામ સોમનાથ પડ્યુ હોઈ શકે. હજારો વર્ષોથી આ મંદિર એક અતિ પ્રાચીન તીર્થ તરીકે જાણીતુ છે. અનેક રાજાઓએ અને ભાવિકોએ તેને બંધાવવામાં યોગદાન આપ્યુ તો અનેક આક્રાંતાઓએ તેને ખંડિત કરવામાં પણ કોઈ કસર બાકી ન રહેવા દીધી. વર્ષ 1951માં સરદાર પટેલના પ્રયાસોથી જ્યારે આ મંદિરનો જિર્ણોદ્ધાર...
Published On - 5:24 pm, Thu, 27 February 25