દેશના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઑક્ટોબરના રોજ લોકાર્પણ કરશે તે વચ્ચે સી પ્લેન ગુજરાતનાં કેવડીયા ખાતે પહોચી ગયું હતું. લોકાર્પણની તૈયારીઓ વચ્ચે અમદાવાદ ખાતે પણ આ સી પ્લેન ટેસ્ટીંગ માટે આવશે. સી-પ્લેનને લઇ સાબરમતીમાં આંતરાષ્ટ્રીય સ્તરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નદી તેમજ વોટર એરડ્રામ પર થ્રિ-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાવામાં આવી […]
Follow us on
દેશના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઑક્ટોબરના રોજ લોકાર્પણ કરશે તે વચ્ચે સી પ્લેન ગુજરાતનાં કેવડીયા ખાતે પહોચી ગયું હતું. લોકાર્પણની તૈયારીઓ વચ્ચે અમદાવાદ ખાતે પણ આ સી પ્લેન ટેસ્ટીંગ માટે આવશે. સી-પ્લેનને લઇ સાબરમતીમાં આંતરાષ્ટ્રીય સ્તરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નદી તેમજ વોટર એરડ્રામ પર થ્રિ-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાવામાં આવી છે. મળતી જાણકારી મુજબ સી-પ્લેન દાણીલીમડાથી જમાલપુર વચ્ચે લેન્ડ થશે, અને વડાપ્રધાન મોદી સાબરમતીથી કેવડિયા સી-પ્લેનથી જશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો