મધ્યાહન ભોજન માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ બાદ પણ બાળકોને નથી મળતું પૌષ્ટિક ભોજન!

|

Jan 18, 2020 | 3:53 PM

રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાહન ભોજન યોજનામાં મોટી ગ્રાન્ટ ફાળવે છે. અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસની સાથે પૌષ્ટિક આહાર મેળવી તંદુરસ્ત બને તેવો ઉમદા આશય છે. પરંતુ ગીર ગઢડા તાલુકાની જરગલી પ્રાથમિક શાળામાં 17 દિવસથી મધ્યાહન ભોજન યોજનાનો પુરવઠો પહોંચ્યો જ નથી. જરગલી શાળાના 270થી વધુ બાળકો પૌષ્ટિક આહારને બદલે ઘરેથી લાવેવા […]

મધ્યાહન ભોજન માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ બાદ પણ બાળકોને નથી મળતું પૌષ્ટિક ભોજન!

Follow us on

રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાહન ભોજન યોજનામાં મોટી ગ્રાન્ટ ફાળવે છે. અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસની સાથે પૌષ્ટિક આહાર મેળવી તંદુરસ્ત બને તેવો ઉમદા આશય છે. પરંતુ ગીર ગઢડા તાલુકાની જરગલી પ્રાથમિક શાળામાં 17 દિવસથી મધ્યાહન ભોજન યોજનાનો પુરવઠો પહોંચ્યો જ નથી. જરગલી શાળાના 270થી વધુ બાળકો પૌષ્ટિક આહારને બદલે ઘરેથી લાવેવા મમરા અને ચવાણું ખાઈ રહ્યાં છે. ગીર ગઢડા તાલુકાના 87 મધ્યાહન ભોજન કેન્દ્રો પર એકસમાન સ્થિતિ છે. આ મુદ્દે આચાર્યએ પુરવઠા અધિકારીઓને પણ જાણ કરી છે.

આ પણ વાંચોઃ વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં કરાશે હાજર

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શાળાઓમાં મધ્યાહન ભોજનનો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ થકી પહોંચાડવામાં આવે છે. જો કે ચાલુ મહિને કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરવામાં આવ્યો. જેના કારણે પાછલા 17 દિવસથી સંચાલકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. જો કે તંત્ર દ્વારા સસ્તા અનાજના દુકાનદારો સાથે વાત કરી વહેલી તકે પુરવઠો પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article