Sabarknatha: પશુપાલકો માટે સારા સમાચાર, સાબરડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જાણો

Sabardairy Milk Price: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર દિવાળીના તહેવારો અગાઉ સાબરડેરીએ આપ્યા છે. સાબરડેરી દ્વારા તહેવારો પહેલા જ પશુપાલકોને માટે દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકોને મોટો લાભ નવા ભાવ વધારાને લઈ થશે. સાબરડેરી દૈનિક 45 લાખ લીટર દૂધ સંપાદન કરે છે. દૂધના ખરીદ ભાવની અમલવારી આગામી 11 નવેમ્બરથી શરુ કરવામાં આવશે.

| Updated on: Oct 28, 2023 | 5:29 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. સાબરડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. એટલે હવે પ્રતિકિલો ફેટ દીઠ પશુપાલકો માટે ભાવમાં વધારો જાહેર કરતા ખેડૂતોનો પશુપાલનમાં મોંઘવારી વચ્ચે મોટી રાહત સર્જાઈ છે. અત્યાર સુધી ભેંસના દૂધમાં 830 રુપિયા પ્રતિકિલો ફેટ દીઠ ચુકવવવામાં આવતા હતા. હવે નવા ભાવ મુજબ પશુપાલકોને 840 રુપિયા ચુકવવામાં આવશે.

આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર આવતા સ્ટેશનોને તેના શહેરની ઓળખ પ્રમાણે અપાશે રંગ રૂપ

દૂધના ખરીદ ભાવની અમલવારી આગામી 11 નવેમ્બરથી શરુ કરવામાં આવશે. એટલે કે દિવાળીના તહેવારો વખતે પશુપાલકોને નવા ભાવ મળી રહેશે. સાબરડેરી દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી 28 લાખ લીટર દુધ દૈનિક સંપાદન કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દૂધના સંપાદનને મળીને 45 લાખ લીટર દૂધની આવક સાબરડેરી ધરાવે છે. સાડા ત્રણ લાખ પશુપાલકોને નવા ભાવનો સીધો લાભ થશે. જેને લઈ હવે સાબરડેરી 4 કરોડ રુપિયા વધુ પશુપાલકોને ચુકવશે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">