રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે . ત્યારે રથયાત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રાના દિવસે રથયાત્રાના સમગ્ર રૂટ પર જનતા કરફર્યુ લગાવવા પર ગૃહ વિભાગ વિચારણા કરી રહ્યુ છે. રથયાત્રામાં માનવ મેદની એકઠી ના થાય તે માટે જનતા કરફર્યુ લગાવવાનું વિચારાઈ રહ્યુ છે.
રથયાત્રામાં આ વર્ષે કોરોનાની મહામારીને લઈને માત્ર 200 લોકોને જ સામેલ થવા માટેની પરવાનગી આપવામાં આવે તેવી સંભાવના છે. રથયાત્રામાં સામેલ થનારા 200 લોકોની યાદી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસ અને ગૃહ વિભાગને સોંપવામાં આવશે.
જેમાં મોટા ભાગે ભગવાનના રથ ખેંચનાર ખલાસીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ સામેલ હશે