ધાર્મિક તહેવારોને લઈને રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ મોટું નિવેદન કર્યું છે. DGP શિવાનંદ ઝાએ લોકોને અપીલ કરી છેકે ધાર્મિક તહેવારો પર પણ એકઠા ન થાય. રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે આગામી સમયમાં પરશુરામ જયંતિ અને પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યો છે. તેવા સમયે લોકો પૂજા અને બંદગી ઘરમાં જ રહીને કરે તે જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે લૉકડાઉનમાં ચેતવણી છતા જો લોકો ધાર્મિક સ્થળે એકઠા થશે તો તેમની સામે કડક પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો: ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં!
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો