Gujarati NewsGujaratRajya sabha mp jugalji thakur writes to pm modi on lrd issue demanding cancellation of gad circular
LRD મુદ્દે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે PM મોદીને લખ્યો પત્ર, GADનો પરિપત્ર રદ કરવાની કરી માગણી
LRD ભરતીમાં સરકારની અનામતની જોગવાઈઓને લઈ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં મહિલાઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે એક પત્ર PM મોદીને લખ્યો છે. આ પત્રમાં ગુજરાત સરકારે જાહેર કરેલો GADનો પરિપત્ર રદ કરવાની માગણી કરી છે. તાત્કાલિક ધોરણે GADનો પરિપત્ર રદ કરવા કરી માગ કરી છે. SC, ST અને OBC સમાજની મહિલાઓને ન્યાય […]
Follow us on
LRD ભરતીમાં સરકારની અનામતની જોગવાઈઓને લઈ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં મહિલાઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે એક પત્ર PM મોદીને લખ્યો છે. આ પત્રમાં ગુજરાત સરકારે જાહેર કરેલો GADનો પરિપત્ર રદ કરવાની માગણી કરી છે. તાત્કાલિક ધોરણે GADનો પરિપત્ર રદ કરવા કરી માગ કરી છે. SC, ST અને OBC સમાજની મહિલાઓને ન્યાય આપવા માટે પણ માગ કરી છે.
ગાંધીનગરમાં છેલ્લા 36 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહ્યા છે. આમ છતાં સરકારના કોઈ નેતાઓ વાતચીત કરવા પણ પહોંચ્યા નથી. શિયાળાની ઠંડીમાં પોતાનો અભ્યાસ અને ઘર છોડીને આંદોલન કરી રહ્યા છે. કેટલાક બહેનોની તબિયત પણ બગડી છે. જેના પર પણ કોઈ દ્વારા ધ્યાન અપાયું નથી. ગુજરાતમાં ભાગ્યે જ આટલો મોટો સમય આંદોલન ચાલે છે.