રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ અમદાવાદની ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપી છે. અમદાવાદની કેટલીક હોસ્પિટલોમાં કોરોના બેડની કુત્રિમ અછત ઉભી કરાઈ રહી હોવાનો ડૉ. રાજીવ ગુપ્તાએ દાવો કર્યો છે. તેમણે ઉમેર્યું કે કેટલીક હોસ્પિટલોમાં આ પ્રકારની અનૈતિક પ્રવૃતિ ધ્યાનમાં આવી છે. સાથે જ વધુ 10 હોસ્પિટલોનો કોરોના હોસ્પિટલ તરીકે જાહેર કરાશે તેમ જણાવ્યું. બહારથી જેને જરૂર ન હોય તેવા દર્દીઓને પણ દાખલ કરાઈ રહ્યા છે તેમ પણ ગુપ્તાએ જણાવ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો