RAJKOT : શહેરના વોર્ડ નંબર 17માં દૂષિત પાણી મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા

સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું પાણી પાવાના પાણીના બોરમાં ભળી જતા પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર હજુ નિંદ્રાધીન છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 5:16 PM

RAJKOT : રાજકોટ શહેરના વોર્ડ નંબર 17માં દૂષિત પાણી મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. રાજકોટના વોર્ડ નંબર 12માં હજી સુધી દૂષિત પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું નથી.. ત્યાં હવે વોર્ડ નંબર 17માં પણ દૂષિત પાણીનો પ્રશ્ન સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠવા લાગ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 મહિનાથી દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલાતો નથી.છેલ્લા ત્રણ દિવસથી એટલું દુર્ગંધયુક્ત પાણી આવે છે કે સાબુથી હાથ ધોવા છતાં તેની દુર્ગંધ જતી નથી.

સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું પાણી પાવાના પાણીના બોરમાં ભળી જતા પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર હજુ નિંદ્રાધીન છે..ગટર શાખાની બેદરકારીના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોની માગણી છે કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા શહેરના વોર્ડ નંબર 12માં દૂષિત પાણીનો મુદ્દો ઉઠ્યો હતો. રાજકોટના વોર્ડ નંબર-12માં આવેલા પુનિતનગરમાં ઘણા દિવસોથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ નાગરીકોએ કરી હતી. પુનિતનગરના રહીશોનો આરોપ હતો કે દૂષિત પાણીને પગલે ઝાડા, ઉલ્ટીના કેસો વધ્યા છે. અને ઘરે ઘરે બિમારીના ખાટલા પથરાયા છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ભળી જતા આ સ્થિતિ સર્જાઇ છે. હાલ તો દૂષિત પાણીનો પ્રશ્ન પેચિદો બની રહ્યો છે. પરંતુ પાણીના નમૂના નોર્મલ આવતા અનેક ચર્ચાઓ થઇ રહી છે. જો કે અવસર બિલ્ડિંગમાંથી લેવાયેલા નમૂનાનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. મેયરે દાવો કર્યો હતો કે મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી પીવાલાયક છે. પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ન ભળ્યું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચો : Vibrant Gujarat 2022 : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે આ મહિને જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડશો યોજાશે

આ પણ વાંચો : માત્ર 14 દિવસમાં ચુકાદો : સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા

 

Follow Us:
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">