Rajkot: RMC સોમવારથી પાણીચોરો સામે બોલાવશે તવાઇ, વોર્ડવાઇઝ આયોજન તૈયાર કરાયું

|

Apr 09, 2022 | 2:39 PM

ઉનાળાની (Summer 2022) શરૂઆતમાં જ શહેરમાં પાણીનો પોકાર (Water crisis) શરૂ થયો છે. સૌથી વધારે મવડી વિસ્તારમાં ઓછા ફોર્સથી પાણી મળ્યાની ફરિયાદો આવી રહી છે. મનપાના ચોપડે છેલ્લા ત્રણ મહિનામાં કુલ 6 હજારથી વધારે ફરિયાદો મળી છે

Rajkot: RMC સોમવારથી પાણીચોરો સામે બોલાવશે તવાઇ, વોર્ડવાઇઝ આયોજન તૈયાર કરાયું
RMC (Symbolic Image)

Follow us on

સોમવારથી રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા પાણીચોરો પર તવાઇ બોલાવવામાં આવશે. રાજકોટ શહેરમાં ઉનાળામાં (Summer) પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણીની ચોરી અને પાણીનો બગાડ અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. આ અંગે સોમવારથી વોર્ડ વાઇઝ કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં અલગ અલગ વોર્ડમાં ભુતિયા કનેકશનની તપાસ, ડાયરેક્ટ પમ્પીંગ તથા લાઇન લોસની ચકાસણી (checking )કરવામાં આવશે.

પુરતા પ્રમાણમાં પાણી છે, પરંતુ પાણીનો બગાડ અટકાવવાનો પ્રયાસ-મ્યુ.કમિશનર

આ અંગે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું કે. શહેરમાં જુલાઇ મહિના સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો છે અને મનપા નીયમીત 20 મિનિટ પાણી આપી રહ્યું છે. ત્યારે પાણીનો બગાડ ન થાય તે માટે મનપા પ્રયત્નશીલ છે. સોમવારથી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં કોઇ લાઇન લીકેજ હોય,કોઇ વ્યક્તિએ ડાયરેક્ટ પમ્પીંગ કર્યુ હોય, ગેરકાયદેસર મોટર મૂકીને પાણી ખેંચવામાં આવતુ હોય,ભૂતિયા નળ કનેક્શન હોય તો તેની તપાસ હાથ ધરવામાં આવશે અને પાણીનો બગાડ ઓછામાં ઓછો થાય તે દિશામાં આગળ વધવામાં આવશે. દરેક વોર્ડમાં અલગ અલગ ટીમો દ્વારા આ અંગે તપાસ હાથ ધરાશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ત્રણ મહિનામાં 6 હજારથી વધારે ફરિયાદ, મવડીમાં સૌથી વધુ દેકારો

ઉનાળાની શરૂઆતમાં જ શહેરમાં પાણીનો પોકાર શરૂ થયો છે. સૌથી વધારે મવડી વિસ્તારમાં ઓછા ફોર્સથી પાણી મળ્યાની ફરિયાદો આવી રહી છે. મનપાના ચોપડે છેલ્લા ત્રણ મહિનામાં કુલ 6 હજારથી વધારે ફરિયાદો મળી છે જેમાં સૌથી વધારે છેલ્લા એક મહિનાથી આવી રહી છે. જેમાં સૌથી વધારે 1575 ફરિયાદો પાણી ન મળવાની, 2082 ફરિયાદો લાઇન લીકેજ હોવાની અને 1008 ગંદા પાણીની, આ ઉપરાંત ડાયરેક્ટ પમ્પીંગ,વાલ્વ લીકેજ સહિતની ફરિયાદો મળી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ : જાણો શું છે સરખેજ મકબરાનો ઇતિહાસ અને શું છે તેનું મહત્વ ?

આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article