Rajkot : PMના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા લાઇટ હાઉસ આવાસની છે આ વિશેષતા, ભૂકંપ અને વાવાઝોડાં સામે સુરક્ષિત

|

Jul 03, 2021 | 12:13 PM

Rajkot : રાજકોટના રૈયા સ્માર્ટ સિટી (Raiya Smart City)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના ડ્રીમ પ્રોજેક્ટ સમાન લાઈટ હાઉસ તૈયાર થઇ રહ્યા છે. 118 કરોડના ખર્ચે અહીં 1144 આવાસ તૈયાર થઇ રહ્યા છે.

Rajkot : PMના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા લાઇટ હાઉસ આવાસની છે આ વિશેષતા, ભૂકંપ અને વાવાઝોડાં સામે સુરક્ષિત
લાઇટ હાઉસ આવાસની આ છે વિશેષતા

Follow us on

Rajkot : રાજકોટના રૈયાધાર પરશુરામધામ નજીક પ્રધાનમંત્રી નરેેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) ડ્રિમ પ્રોજેક્ટ લાઇટ હાઉસ ( Light House project) આવાસનું બાંધકામ જોરશોરથી ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડ્રોન મારફતે વિડીયો કોન્ફરન્સથી આ પ્રોજેક્ટની સમિક્ષા કરી હતી. અને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. 118 કરોડના ખર્ચે અહીં 1144 આવાસ તૈયાર થવા જઇ રહ્યા છે.

1 જાન્યુઆરીથી શરૂ થયેલો આ પ્રોજેકટ 15 મહિનામાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. ફ્રાન્સની મોનોલિથીક કન્સ્ટ્રકશન ટેકનોલોજીથી આ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યો છે. દેશના 6 રાજ્યોમાં આ પ્રકારની વિશેષ ટેક્નોલોજીથી આવાસ તૈયાર થઇ રહ્યા છે જે પૈકી ગુજરાતમાં રાજકોટ ખાતે આ પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે.

લાઈટ હાઉસ આવાસ

કેવી છે ફ્રાન્સ ટેક્નોલોજી?

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ફ્રાન્સની મોનોલિથીક ક્રોંકિટ કેટેગરી ટેકનોલોજીથી આવાસ તૈયાર થાય છે જેમાં ટનલ ફોર્મવર્ક સિસ્ટમનો ઉપયોગ કરીને આવાસ તૈયાર કરવામાં આવે છે એટલે કે આ આવાસમાં દિવાલ કે પ્લાસ્ટર આવતું નથી પરંતુ ટનલની જેમ કોંક્રિટની દિવાલો તૈયાર થાય છે.જેથી આવાસ તૈયાર કરવામાં મેન પાવર ખૂબ જ ઓછો વપરાય છે અને આવાસ તૈયાર કરવાની સમય મર્યાદા પણ ઘટી જાય છે.

કોંક્રિટનું બાંધકામ હોવાથી પાણી લિકેજ થવાની કે આવાસમાં ભેજ આવવાની કોઇ જ સમસ્યા રહેતી નથી. એટલું જ નહિ ભૂકંપ અને વાવાઝોડાની પણ આ આવાસમાં નહિવત અસર થાય છે. જો કે હવે આ ટેક્નોલોજી પૂનામાં પણ અમલી બની છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાય
118 કરોડના ખર્ચે તૈયાર થનાર આ આવાસમાં પ્રતિ આવાસ કેન્દ્ર સરકાર દ્રારા 1.50 લાખ અને રાજ્ય સરકાર દ્રારા 1.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે.વિશેષ ટેક્નોલોજીની ગ્રાન્ટ તરીકે પ્રતિ આવાસ 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ આવાસ યોજનાનો ડ્રો પણ થઇ ચૂક્યો છે. અને 15 મહિનામાં લાભાર્થીઓને આ મકાન મળી રહેશે.

Next Article