Rajkot : ભણતરનો ભાર, ધોરણ 10ના પેપર સારૂ ન જતા વિધાર્થિનીએ કર્યુ અગ્નિસ્નાન

વિધાર્થિનીના પિતા ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. વાહન ચલાવીને પોતાનું અને પરિવારજનોનું ગુજરાન ચલાવે છે.વિધાર્થીનીનો ધોરણ 10માં કડવીબાઇ વિધાલયમાં પરીક્ષા આપવા માટે જતી હતી.

Rajkot : ભણતરનો ભાર, ધોરણ 10ના પેપર સારૂ ન જતા વિધાર્થિનીએ કર્યુ અગ્નિસ્નાન
Rajkot: Student burns fire after not doing well in Std 10 paper
| Edited By: | Updated on: Apr 01, 2022 | 12:15 PM

Rajkot : હાલમાં ધોરણ 10ની પરીક્ષા (Board Exam) ચાલી રહી છે.પરીક્ષામાં વિધાર્થીઓ મુક્તમને પરીક્ષા આપી શકે તે માટે સરકાર અને વિધાર્થીઓના પરિવારજનો પ્રયત્નશીલ થતા હોય છે.પરંતુ રાજકોટમાં ભણતરના ભારને કારણે એક વિધાર્થિનીએ (Student) મોતને (Death) વ્હાલું કરી નાખ્યું છે. ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ બે પેપર નબળા જતા સગીર વિધાર્થીનીએ પોતાના ઘરે બાથરૂમમાં પેટ્રોલ છાંટીને સળગી હતી. સગીર વિધાર્થિનીને તાત્કાલિક સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પિતા ડ્રાઇવિંગ કરે છે,સામાન્ય પરિવારમાંથી આવે છે વિધાર્થિની

વિધાર્થિનીના પિતા ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. વાહન ચલાવીને પોતાનું અને પરિવારજનોનું ગુજરાન ચલાવે છે.વિધાર્થીનીનો ધોરણ 10માં કડવીબાઇ વિધાલયમાં પરીક્ષા આપવા માટે જતી હતી.પહેલા બે પેપર નબળા જવાને કારણે વિધાર્થિની અપસેટ હતી.જે બાદ તેને આ પગલું ભર્યું.

જિંદગીથી મોટી પરીક્ષા નથી,પરિવારજનોએ બાળકનું ધ્યાન રાખવું જોઇએ.

જિંદગીથી મોટી કોઇ પરીક્ષા નથી.કોઇપણ પરીક્ષા છેલ્લી નથી હોતી.આ કિસ્સો એ માતાપિતા માટે પણ લાલબત્તી સમાન છે. જેઓ પોતાના બાળકને પરીક્ષામાં પરીણામનું દબાણ કરતા હોય છે.વિદ્યાર્થીને મુક્તમને પરીક્ષા આપે અને પ્રફુલ્લિત થઇને પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ ઉભું કરવાની જવાબદારી દરેક માતાપિતાની છે.

આ પણ વાંચો : Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે લાંબી લાઈનો, અમરનાથ યાત્રાને લઇને યાત્રાળુઓમાં ઉત્સાહ

આ પણ વાંચો : Ayush badoni, IPL 2022: 22 વર્ષનો યુવાન જેવો માહોલ એવુ ચલાવે છે બેટ, શરુઆતમાં જ આયુષ બદોની ચારેકોર છવાઈ ગયો

Published On - 11:53 am, Fri, 1 April 22