Rajkot : ધાતુઓના ભાવમાં વધારાથી MSME ઉદ્યોગ મુશ્કેલીમાં, કેન્દ્ર સરકાર પાસે કરી રાહતની માગ

|

Jul 31, 2021 | 4:30 PM

કોરોનાની બીજી લહેર બાદ સ્ટીલના ભાવ 50 ટકા વધી ગયા છે. જેના પગલે ઓટોમોબાઈલ, ડીઝલ એન્જિન, હાર્ડવેર, કિચનવેરની ઘર ઉપયોગી ચીજોના ભાવ વધ્યા છે.

રાજકોટ(Rajkot)નો એન્જિનિયરિંગ(Engineering)ઉદ્યોગ સ્ટીલ, કોપર, લોખંડ, એલ્યુમિનીયમના ભાવમાં બેફામ વધારો થતા મુશ્કેલીમાં મુકાયો છે. કોરોનાની બીજી લહેર બાદ સ્ટીલના ભાવ 50 ટકા વધી ગયા છે. જેના પગલે ઓટોમોબાઈલ, ડીઝલ એન્જિન, હાર્ડવેર, કિચનવેરની ઘર ઉપયોગી ચીજોના ભાવ વધ્યા છે. જ્યારે ચીન દ્વારા સ્ટીલના ભાવમાં મળતુ ઈન્સેન્ટીવ રદ્દ થતા સ્ટીલની નિકાસ હવે લોકોને પોસાતી નથી. તો ભારતમાંથી નિકાસ વધતા કાચા માલની અછત ઉભી થઈ છે. રાજકોટના ઉદ્યોગકારોને ભાવ વધારા બાદ અગાઉના ઓર્ડર પુરા કરવા મુશ્કેલ બન્યા છે. જેથી એન્જિનિયરિંગ એસોસિએશને કેન્દ્ર સરકાર કોઈ રાહત આપે તેવી માગણી કરી છે.

આ પણ વાંચો: PM Kisan : ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા કેમ ટ્રાન્સફર નથી થઈ રહ્યા ? કૃષિ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના પ્રસિધ્ધ તરણેતરના મેળા પર કોરોનાનું ગ્રહણ, સતત બીજા વર્ષ મેળો બંધ રહેશે

Published On - 4:13 pm, Sat, 31 July 21

Next Video