Rajkot: PGVCLનો સપાટો, 4 મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 82 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી, વીજચોરી ભાવનગર સર્કલ અવ્વલ !

|

Aug 18, 2023 | 10:56 PM

Rajkot: PGVCL દ્વારા ચાર મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 82 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી પાડી છે. જેમા સૌથી વધુ વીજચોરી ભાવનગર સર્કલમાંથી ઝડપી પાડવામાં આવી છે. સૌરાષ્ટ્રના 29,254 વીજ કનેક્શન પૈકી કુલ 82 કરોડની વીજચોરી સામે આવી છે.

Rajkot: PGVCLનો સપાટો, 4 મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 82 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી, વીજચોરી ભાવનગર સર્કલ અવ્વલ !

Follow us on

પશ્વિમ ગુજરાત વીજ કંપની પ્રાઇવેટ લીમીટેડ (PGVCL) દ્રારા છેલ્લા ચાર મહિનાથી સૌરાષ્ટ્રમાં વીજચોરો સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.  પીજીવીસીએલ દ્રારા છેલ્લા ચાર મહિનામાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં કુલ 29,254 વીજ કનેક્શનમાંથી કુલ 82 કરોડ રૂપિયાની વીજચોરી પકડી પાડી છે. પીજીવીસીએલ દ્રારા સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 12 જેટલા સર્કલોમાં 1.40 લાખ જેટલા વીજજોડાણોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને વીજચોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ક્યાંથી પકડાઇ કેટલી વીજચોરી ?

વર્તુળ કનેકશન ચેકિંગ વીજચોરી કરનાર કનેકશન રૂપિયા(લાખમાં)
રાજકોટ 21310 2987 738.61
રાજકોટ ગ્રામ્ય 17424 2880 744.54
મોરબી 10715 1834 512.25
પોરબંદર 14422 2427 658.74
જામનગર 7970 2050 712.22
ભુજ 9780 919 378.16
અંજાર 5442 1192 576.32
જુનાગઢ 10784 2242 649.02
અમરેલી 9968 2458 520.76
બોટાદ 6309 1485 303.42
ભાવનગર 13129 3763 1508.23
સુરેન્દ્રનગર 2466 3017 904.55

સૌથી વધારે વીજચોરી ભાવનગર સર્કલમાંથી પકડાઇ

છેલ્લા ચાર મહિનાથી પીજીવીસીએલ આ ઝુંબેશ ચલાવી રહી છે.પીજીવીસીએલ દ્રારા સૌરાષ્ટ્ર કચ્છના 12 જેટલા સર્કલમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લામાં 15.08 કરોડની વીજચોરી પકડાઇ હતી જે સૌથી વધારે છે જ્યારે ભાવનગર બાદ સુરેન્દ્રનગરમાંથી પણ 9 કરોડ રૂપિયાની વીજચોરી પકડાઇ હતી.

રાજકોટ શહેર અને ગ્રામ્યમાં વીજચોરીનો આંક 14 કરોડને પહોંચ્યો છે. રાજ્યની ચારેય વીજકંપનીઓમાં પીજીવીસીએલમાં વીજલોસ સૌથી વધારે 16 ટકા છે જેને લઇને પીજીવીસીએલ દ્રારા સમયાંતરે વીજચોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરે છે અને વીજચોરી કરનારને આકરો દંડ ફટકારે છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

 

આ પણ વાંચો: નૈતિકતાનું અધ:પતન, ઘરની લક્ષ્મીની ઈજ્જત પોર્ન સાઈટ પર કરી નીલામ, સાસુ-સસરા અને પતિ સામે નોંધાઈ ફરિયાદ

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article